Saturday, December 24, 2022

There were long queues to get precautionary doses; Why is the new variant of Corona not fatal

અમદાવાદ: ચીન સહિતના દેશોમાં કોરોના BF.7 વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાતમાં કોરોનાના પગલાં પડતાં લોકો સાવચેતી વર્તી રહ્યા છે. તંત્ર દ્વારા પણ તકેદારી લેવા અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યમાં વેક્સિનનો પ્રિકોશન ડોઝ લેવા માટે કતારો લાગી રહી છે. BF.7 નવા વેરિયન્ટને લઈને લોકો સજાગ થયા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર સહિતના આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ ચાલુ છે, ત્યારે અગાઉ ડોઝ લેવા આવતાં લોકોની સંખ્યા કરતાં હમણા ત્રણ ગણા લોકો આવી રહ્યા છે.

ડોક્ટરનું શું કહેવું છે?

બીજી બાજુ, કોરોનાનો નવો વેરિએન્ટ આપણા માટે વધુ ઘાતક સાબિત નહીં થાય તેવો દાવો તબીબી નિષ્ણાંત ડો. અતુલ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. આ દાવા સાથે તેમણે કેટલાક કારણો પણ આપ્યા છે. તેમનું કહેવું છે કે, અત્યારના તમામ વેરિયન્ટ ઓમિક્રોન વેરિયન્ટ છે. ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટથી ધણો જુદો છે. ડેલ્ટા વેરિયન્ટથી આપણે હેરાન થયા હતા. ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટની સરખામણીએ ધણો માઇલ્ડ છે. આપણી વેક્સિન અન્ય દેશોની વેક્સિન કરતાં ઘણી સારી છે. આપણી વેક્સિન મલ્ટીપરપઝ છે, જેણે હર્ડ ઇમુનિટી વધારી છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેક્સિનેશનથી જ આમાં રાહત મળશે.

Published by:Azhar Patangwala

First published:

Tags: Coroan vaccines, Corona News, Gujarat News


Related Posts: