Saturday, December 31, 2022

નારણપુરાની મોદી આઈ કેરમાં લાગેલી આગમાં બેના મોત, ફાયર કાફલો ઘટનાસ્થળે | Two dead in Modi eye care in front of Jaymangal BRTS bus stand, fire fleet at the scene

અમદાવાદ3 મિનિટ પહેલા

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જય મંગલ BRTS બસ સ્ટેન્ડ પાસે આવેલા મોદી આઈ કેર ની હોસ્પિટલ માં આગ લાગી છે ઘટનાને પગલે બે એમ્બ્યુલન્સ, ચારથી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.

નારણપુરા વિસ્તારમાં જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલી મોદી આઈ કેર સેન્ટર નામની હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જોકે આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડ ને સવારે 9:30 વાગ્યાની આસપાસ થઈ હતી. જેથી ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે આગની જ્વાળાઓ નહીં પરંતુ ધુમાડા જોવા મળ્યા હતા. પહેલા જઈને જોતા પલંગ પર એક પુરુષ અને મહિલા મૃત હાલતમાં મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: