- Gujarati News
- Local
- Gujarat
- Bhavnagar
- After Chicken mutton In Palitana, Guests’ Health Deteriorates After Eating Apple Halwa, More Than 150 People Get Food Poisoning, Hospitals Run Out Of Beds
ભાવનગર9 મિનિટ પહેલા
જૈનનો તીર્થનગરી પાલીતાણા સીસીટીવીમાં તોડફોડ મામલે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે વધુ એક વખત ચર્ચામાં આવી છે. લગ્નની દાવતમાં 100થી 150 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. રવિવારે સાંજે યોજાયેલા લગ્ન પ્રસંગમાં એક હજારથી વધુ લોકોએ ચિકન, મટન, બિરીયા સહિતનું નોનવેજ ભોજન આરોગ્યુ હતું. જે બા સફરજનનો હલવો અને છાશ આરોગતા 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. લોકોને ઉલ્ટીઓ થતા માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બેડ ખૂટી પડ્યા હતા.
સૌથી વધુ બાળકો ફૂડ પોઇઝનિંગના ભોગ બન્યા
પાલિતાણા શહેરમાં રહેતા અને અને ગારીયાધાર રોડપર પાન-માવાની દુકાન ધરાવતા મહેતરના આંગણે લગ્નનો પ્રસંગ હતો, જેથી પાલિતાણાના તળાવ વિસ્તારમાં આવેલા જમાત ખાનામાં દાવતનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 હજારથી વધુ લોકોએ સફરજનનો હલવો, છાશ, ચિકન બિરીયાની મટન સહિતનું નોનવેજ ભોજન આરોગ્યુ હતું. જેમાં 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી, જેમાં સૌથી વધુ બાળકોનો સમાવેશ થાય છે.
પાલિતાણા-ભાવનગર અને પ્રાઈવેટ હોસ્પિટલમાં દર્દીઓને ખસેડાયા
દાવતમાં ભોજન બાદ પ્રથમ બાળકોને ઝાડા-ઉલ્ટી સાથે તબિયત લથડતાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં. આ દરમિયાન એક બાદ એક બાળક અને ત્યારબાદ યુવાનો મહિલાઓ અને વૃદ્ધોએ પણ ઝાડા-ઉલ્ટી સહિતની ફરિયાદ કરતાં જોતજોતામાં 150થી વધુ લોકોને આ પ્રકારે ખોરાકની ઝેરી અસરના લક્ષણો વર્તાતા સમગ્ર સ્થિતિને પારખીને સ્થાનિક પ્રશાસન તથા સામાજિક કાર્યકરો મદદે દોડી આવ્યા હતા. અનેક લોકોને ફૂડ પોઇઝનિંગ આર થતા પાલિતાણા, ભાવનગર અને પ્રાઈવેટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં લોકોની ભીડ જોવા મળી
સ્થાનિક ઈકબાલભાઈએ જણાવ્યું હતું કે, પાલીતાણાના પ્રસંગમાં જમણવાર હતો, જેમાં લોકોમાં ફૂડ પોઇઝનિંગની અસર થતા માનસિંહજી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે કોઈને ખાનગીમાં તો કોઈ ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા. ફૂડ પોઇઝનિંગનો ભોગ બનેલા લોકો પાલિતાણાના પરિમલ, નવાગઢ અને 50 વારિયા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક સામાજિક કાર્યકરો, રાજકીય પક્ષના નેતાઓએ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મોડી રાત સુધી પાલિતાણાની હોસ્પિટલમાં લોકોની ભીડ જોવા મળી હતી. મહત્વનું છે કે, આ ઘટનામાં કોઈ ગંભીર દર્દી હોવાનું સામે આવ્યું નથી. જેને લઈ લોકો અને તંત્રમાં રાહત થઈ હતી.