Monday, January 2, 2023

Navsari: ભયજનક રીતે વધી રહ્યાં છે અકસ્માત, ધર્મગુરુઓએ લીધો એવો નિર્ણય કે જાણીને ગર્વ થશે!

Sagar Solanki, Navsari:  હજી પણ દેશમાં માનવતા જીવીત છે કારણ કે નવસારીના બનેલી રાત્રી દરમિયાન બસ અને કાર અકસ્માતની ઘટના જેણે હર કોઈને હચમચાવી નાખ્યા છે લોકોએ આ ઘટનાને લઈને સહાનુભૂતિ પણ દાખવી છે તો કેટલા લોકો સહાય માટે પણ આગળ આવ્યા છે. 31 ડિસેમ્બરની વહેલી સવારે નવસારીના નેશનલ હાઈવે પર આવેલા વેસ્મા પાસે એક ગોઝારો અકસ્માત થયો હતો. અમદાવાદ થી વલસાડ તરફ જઈ રહેલા કારનો એક બસ સાથે અકસ્માત થતાં એ ઘટનામાં નવ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

નવસારી નજીકના નેશનલ હાઇવે નંબર 48 પર પરથાના ખાતે આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમને સંવેદના સ્વરૂપે લાઠીની રામકથા ની વ્યાસપીઠ તરફથી પ્રત્યેક મૃતકના પરિજનોને રૂપિયા 11000 -11000ની સંવેદના સહાયતા જાહેર કરવામાં આવી.

આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તે માટે પૂજ્ય મોરારી બાપુએ તેમના પરિજનો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. આ ઉપરાંત આ ઘટનામાં જે લોકો ઘાયલ થયા છે તેઓ ઝડપથી સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવી પણ પ્રાર્થના પૂજ્ય બાપુએ કરી.

અગાઉ પણ જ્યારે કોરોના કાળ દરમિયાન આવી જીવ ગુમાવવાની ઘટના કેટલાય પરિવારોમાં બની છે આ તમામ લોકોને મદદ કરવા માટે પણ તંત્ર અને અન્ય સામાજિક સંસ્થાઓ આગળ આવી હતી પરંતુ હાલમાં આ બનેલી ગોઝારી ઘટનામાં તંત્ર એ તો સહાયની જાહેરાત કરી જ છે પરંતુ ધાર્મિક સંસ્થાઓ અને ધર્મગુરુઓ પણ મૃતકોના પરિવારજનોની વાહરે આવ્યા છે. કારણકે કેટલાય લોકોએ પોતાનો જીવન સહારો ગુમાવ્યો છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

First published:

Tags: Local 18, અકસ્માત, નવસારી

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.