પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 1500 સ્વયંસેવકો માટે હેર કટિંગ અને શેવિંગની અદ્ભુત વ્યવસ્થા

અમદાવાદઃ અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જ્યાં 80 હજારથી વધુ સ્વયંસેવકો છેલ્લા ત્રણ ચાર મહિનાથી સેવા આપી રહ્યા છે. ત્યારે શતાબ્દી મહોત્સવમાં માઈક્રો મેનેજમેન્ટનું વધુ એક અદ્ભુત ઉદાહરણ સામે આવ્યું છે. અહીં મહોત્સવમાં સેવા આપી રહેલા સ્વયંસેવકોની જરુરિયાતને ધ્યાનમાં રાખી ત્રણ અલગ અલગ સલૂન ઉભા કરવામાં આવ્યાં છે. જ્યાં રોજના 1500થી વધુ સ્વયંસેવકો હેર કટિંગ અને શેવિંગ કરાવે છે. અહીં આયોજન પણ એવું અદ્ભુત છે કે, હેરકટિંગ માટે કે શેવિંગ માટે લાઇન લાગતી નથી. આ માઈક્રોમેનેજમેન્ટ જાઈને તમે પણ આશ્ચર્યચક્તિ થઈ જશો.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે શહેરમાં 600 એકર જગ્યામાં પ્રમુખ સ્વામી નગર ઉભું કરવામાં આવ્યું છે. આમ તો, નગરમાં એકેએક વસ્તુ જુઓ તો તમને બધું જોરદાર જ લાગશે અને આખાય નગરની રચનાના પ્લાનિંગની વાત કરવામાં આવે તો તે પ્લાનિંગથી માંડી અને સતત એક મહિનો ઉત્સવનું મેનેજમેન્ટ પણ અદ્ભુત છે. અહીં ટ્રાફિકની વાત હોય કે સ્વચ્છતાની બધું જ મેનેજમેન્ટ ફૂલ પ્રૂફ પ્લાનિંગથી થાય છે. એટલું જ નહીં, બીએપીએસના માઈક્રો પ્લાનિંગની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સતત 80 હજારથી વધુ સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યાં છે. ત્યારે આ સ્વંયસેવકોને જો દાઢી ઉગી ગઈ હોય કે માથાના વાળ ઉગી ગયા હોય તો હેર કટિંગ માટે કે પછી શેવિંગ માટે ક્યાંય જવાની જરુર નથી. કારણ કે, તે માટેની વ્યવસ્થા પણ શતાબ્દી મહોત્સવમાં કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભાજપ યુવા મોરચા ટીમ શતાબ્દી મહોત્સના મેનેજમેન્ટનો અભ્યાસ કરશે

અહીં ત્રણ અલગ અલગ જગ્યાએ સલૂન ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ચાર નંબરના ગેટ પાસે એક સલૂન 40 ખુરશીઓ સાથેનું, જ્યારે સાત નંબરના ગેટ પાસે એક સલૂન 40 ખુરશીઓ સાથે, અન્ય એક સલૂન 20 ખુરશી સાથે એમ કુલ 100 બેઠક સાથેના સલૂન ઊભા કરવામાં આવ્યાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે, અહીં રોજે રોજ 1500થી વધુ સ્વયંસેવકો હેર કટિંગ અને શેવિંગ કરાવે છે.

અહીં સેવા આપી રહેલા કિશોરભાઈ રાઠોડ જણાવે છે કે, તેઓ વર્ષોથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા છે અને અહીં ત્રણ અલગ અલગ જગ્યાએ સલૂન બનાવવામાં આવ્યા છે. એક સલૂનમાં 700થી 800, જ્યારે કુલ 1500 જેટલા સ્વયંસેવકો રોજે રોજ શેવિંગ અને હેરકટિંગ માટે આવે છે. તેમના સેવિંગ કે હેરકટિંગ માટે બધું જ બ્રાન્ડેડ વસ્તુઓ જ વાપરવામાં આવે છે. તેમની પાસેથી માત્ર 10 રુપિયા જેટલો ચાર્જ લઈએ છીએ એટલે કે હેર કટિંગ કરવું હોય તો 10 રુપિયા જ્યારે સેવિંગ કરવું હોય તો 10 રુપિયા જેટલો ચાર્જ લઈએ છીએ. અહીં હેરકટિંગ માટે 150 જેટલા સ્વયંસેવકો સેવા આપી રહ્યાં છે અને તમામ લોકો પ્રોફેશનલ છે. દરેક સલૂનની દુકાન ધરાવે છે. અહીં શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે પહોંચ્યા છે. સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સલૂનમાં સેવા આપીએ છીએ. માત્ર હેર કટિંગ અને શેવિંગ જ નહીં જે સ્વયંસેવકના નખ વધી ગયા હોય તો તેઓને નેલ કટીંગ પણ અહીં કરવામાં આવે છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: BAPS, BAPS Article, Baps pramukh swamis maharaj, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav

Previous Post Next Post