https://images.bhaskarassets.com/web2images/960/2023/01/17/34_1673938152.jpg
રાજકોટ4 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રિકોશનરી ડોઝ અપાયા
રાજકોટ સહિત ગુજરાતમાં છેલ્લા દિવસોમાં કોરોનાના કોઈ કેસ નોંધાયા નથી અને લોકો ફરી ચિંતામુકત બન્યા છે. ત્યારે રાજ્ય સરકારે રાજકોટ મહાપાલિકાને 6500 કોવિશિલ્ડ ડોઝનો સ્ટોક ફાળવ્યો છે. ગત મહિનાથી ચીન જેવા દેશમાં કોરોનાએ હાહાકાર મચાવતા ભારતમાં પણ સર્તકતા જાહેર કરવામાં આવી છે.જો કે લાંબા સમયથી રાજકોટમાં કોરોના કેસ ઝીરો થઈ જતા શહેરીજનો રસીકરણ પ્રત્યે દુર્લક્ષતા દાખવી રહ્યા છે ત્યારે આજે રાજકોટને કોવિશિલ્ડના પ્રિકોશન ડોઝનું આગમન થયું છે.
મ્યુનિ. કોવેક્સિનના ડોઝથી રસીકરણ કામગીરી ચલાવતી
દેશમાં ફરી કોરોનાનો ફેલાવો વધે તેવા ભયથી કેન્દ્રએ તમામ રાજ્યોને સાવધ કર્યા છે. પરંતુ મકરસંક્રાંતિનું પર્વ નીકળી જવા છતાં નવા કેસ આવ્યા નથી. દરમિયાન આ મહિનામાં જેઓએ વેક્સિનનો પ્રિકોશન (ત્રીજો) ડોઝ લીધો નથી તેઓ વેક્સિનની ઇન્કવાયરી માટે આરોગ્ય કેન્દ્રો પર પહોંચતા થયા હતા. પરંતુ મનપા પાસે માત્ર કોવેક્સિનના થોડા ડોઝ હોય તેનાથી ચલાવાતું હતું.
મોટાભાગના લોકોને કોવિશિલ્ડ જ અપાઇ છે
સામે મોટા ભાગના લોકોને કોવિશિલ્ડ વેક્સિન જ અપાઇ છે તે ઉલ્લેખનીય છે. દરમિયાન કોર્પોરેશનની સતત રાજ્ય સરકારમાં રજૂઆત અને રાજ્યની કેન્દ્રમાં રજૂઆતના પગલે ગુજરાતને સ્ટોક ફાળવવાનું શરૂ થયું છે.