વડોદરા7 મિનિટ પહેલા
- કૉપી લિંક

વડોદરામાં જૈનોની રેલી.
ઝારખંડ સરકારે જૈન સમાજના સમ્મેદ શિખર તરીકે ઓળખાતા મહાતીર્થ પારસનાથ પહાડને પ્રવાસન સ્થળ જાહેર કર્યું છે. જેને લઇને દેશભરમાં જૈન સમાજ વિરોધ કરી રહ્યો છે. સાથે જ ગુજરાતમાં પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર અતિક્રમણનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ સ્થાનિક માના ભરવાડ સહિતના લોકો દ્વારા હિન્દુ-જૈન મુદ્દે વૈમન્સ્ય ફેલાય તેવી પ્રવૃત્તિ કરવાના વિરોધમાં આજે વડોદરામાં જૈનો દ્વારા રેલી યોજવામાં આવી હતી.
મુગલકાળથી શેત્રુંજય જૈન તીર્થ
જૈન અગ્રણી દિપક શાહે જણાવ્યું હતું કે, જૈનોના પવિત્રતીર્થ શેત્રુંજ્ય અને સમેત શિખર પર આફત આવી છે તેના પર સરકાર હરકતમાં આવે તેમ માટે કૃપાબિંદુ મહારાજ સહિત સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં આજે રેલી આયોજીત કરવામાં આવી છે. તેમજ વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારા મુખ્ય બે મુદ્દા છે. પ્રથમ તો શેત્રુંજયતીર્થમાં અતિક્રમણ થઇ રહ્યું છે. મુગલ સામ્રાજ્ય અને ત્યાર બાદ અંગ્રેજોના શાસનમાં પણ લેખિતમાં અપાયું છે કે શેત્રુંજય જૈનોનું તીર્થ છે. આ દસ્તાવેજોને આધારે ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે આ તીર્થ જૈનોનું છે.
લગ્નમાં ગણેશજીની પૂજા કરીએ છીએ
તેમણે કહ્યું કે બીજો મુદ્દો એ છે કે પાણીતાણામાં માના ભરવાડ ઉર્ફે મના રાઠોડ નામનો માણસ અને તેનો નાનો ભાઇ લાલો, ભરતભાઇ તેમજ શરણાનંદ મહારાજ આ ચાર લોકો અત્યારે જૈનોને હિન્દુઓની સામે ભીડવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જૈનો એ પહેલા હિન્દુ છે. હિન્દુ અને જૈનો જુદા નથી. મારું લગ્ન થયું ત્યારે મેં ગણેશજીની પૂજા કરી છે. બીજા જૈનો પણ લગ્ન કરે ત્યારે ગણેશજીની પૂજા થાય છે. અમે અલગ નથી. પરંતુ પૂજા પદ્ધતિ સનાતન ધર્મમાં હોય છે તેમ બીજા કરતા જુદી છે. જૈનો એ હિન્દુ જ છે. જૈનો અને હિન્દુને લડાવવા શરણાનંદ મહારાજ પ્રયાસ કરે છે. રોહિશાળામાં જૈનોની પ્રાચીન પાદુકાઓની તોડફોડ કરવામાં આવી. આ દરેક જૈનના હ્રદય પર ઘા છે.
વૈમન્સ ફેલાવનારાને પાસા કરો
તેમણે જણાવ્યું કે, આ વયમનસ્ય ફેલાવનારા માના ભરવાડની પોલીસે હાલ ધરપકડ કરી છે. અમારી માંગણી છે કે તેને પાસા થવી જોઇએ. આ માના ભરવાડ એ જ વ્યક્તિ છે જે શેત્રુંજય પર શ્રદ્ધાળુઓને લઇ જતાં ડોલીવાળાઓ પાસેથી ગેરકાયદે વસૂલી કરે છે. શેત્રુંજય પર્વત પર ખનન પ્રવૃત્તિ પણ થઇ રહી છે. જેને રોકવા સરકારે પગલા લેવા જોઇએ.