Monday, January 2, 2023

Bhavnagar: Food poisoning of more than 200 people after eating food on a religious occasion

ભાવનગર: ભાવનગરના પાલીતાણામાં ફુડ પોઈઝનિંગની ઘટના બની છે. ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ ફુડ પોઈઝનિંગની ઘટના બની હતી. ભોજન આરોગ્યા બાદ 200થી વધુને અસર થઇ હતી. બાળકો તેમજ મહિલાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. જે બાદ અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

બિરયાની જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. પાલીતાણા ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. પાલીતાણામાં આવેલા તળાવ વિસ્તારમાં ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. જે બાદ 200થી વધુ લોકોને સારવાર અર્થે પાલીતાણા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચિકનની બિરયાની જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. હાલ તમામ લોકોને પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રાજ્યમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી, હજુ ઠુંઠવાશે ગુજરાત

નાના બાળકો અને મહિલાઓને ફુડ પોઈઝનિંગની વધુ અસર

આ ઘટનામાં નાના બાળકો અને મહિલાઓને ફુડ પોઈઝનિંગની વધુ અસર જોવા મળી હતી. ઘટનાને પગલે તંત્ર પણ દોડતું થયું છે. નોંધનીય છે કે, ફુડ પોઇઝનિંગની આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. કોઇ પ્રસંગે ભોજન આરોગ્યા બાદ અનેક લોકોને ફુટ પોઇઝનિંગ થયું હોય તેવા સમાચારો પ્રકાશમાં આવી રહ્યા છે.

તમારા શહેરમાંથી (ભાવનગર)

Published by:Azhar Patangwala

First published:

Tags: Bhavnagar news, Food Poising, Gujarat News

Related Posts: