હીરાબાનું વડનગરમાં આજે બેસણું, પ્રાર્થના સભામાં કર્યું છે આયોજન

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબેન મોદીની યાદમાં આજે પૈતૃક નિવાસ સ્થાન વડનગરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાર્થના સભા સવારે 9.00 વાગ્યાથી બપોરના 12.00 વાગ્યાની વચ્ચે થશે. અચાનક તબિયત ખરાબ થનારા કારણે હીરાબાને 28 ડિસેમ્બરે અમદાવાદની યૂએન મેહતા ઈંસ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં ભરતી કરાવ્યા હતા. હોસ્પિટલના મેડિકલ બુલેટિન અનુસાર, 100 વર્ષિય હીરાબેન મોદીનું 30 ડિસેમ્બર વહેલી સવારે 3.30 કલાકે નિધન થઈ ગયું. પીએમ મોદીએ પોતાની માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

પીએમ મોદીએ 30 ડિસેમ્બરે સવારે ટ્વિટ કરીને પોતાની માતાના નિધન વિશે સમાચાર આપ્યા હતા. તેની થોડી મીનિટો બાદ જ ગુજરાતની રાજધાની ગાંધીનગર જવા માટે નીકળી ગયા હતા. પીએમ મોદીએ પોતાની માતાના ચરણસ્પર્શ કર્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હીરાબાના પાર્થિવ દેહને ગાંધીનગરના રાયસણમાં તેમના નાના ભાઈ પંકજ મોદીના નિવાસ સ્થાન પર અંતિમ દર્શન કર્યાના તુરંત બાદ અંતિમ સંસ્કારની વિધિ પુરી કરવામાં આવી હતી.

Published by:Pravin Makwana

First published:

Tags: Mother heera Baa, PM Modi Live


Previous Post Next Post