Wednesday, January 18, 2023

nature-help-foundation-established-treatment-centers-for-injured-birds-asc – News18 Gujarati

Salim Chauhan, Anand: આણંદના વિદ્યાનગરમાં આવેલા નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ઉતરાયણ પર્વમાં પક્ષીઓની સારવાર માટે સારવાર કેન્દ્રો સારું કરવામાં આવે છે આ વર્ષે કરુણા અભિયાન અંતર્ગત વિદ્યાનગરના જાહેર વિસ્તારોમાં સારવાર કેન્દ્રો શરૂ કરી પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. વિદ્યાનગર સહિત શહેરના જૂદા જૂદા વિસ્તારોમાં સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. જ્યા ઘાયલ પક્ષીઓની તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી રહી છે.

આ ઘવાયેલા પક્ષીઓને વન વિભાગ સાથે મળીને સલામત જગ્યા ખસેડી લેવામાં આવે છે ત્યાર બાદ તેની સારવાર કરી જીવ બચાવવામાં આવે છે. ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ટોલ્ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં 1962 પર સંપર્ક કરી ઘવાયેલા પક્ષીઓની માહિતી આપી પક્ષીઓનો જીવ બચાવી શકાય છે આ ઉપરાંત  વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઘાયલ પક્ષીઓની માહિતી આપી શકાય છે અને પક્ષી ને બચાવી શકાય છે જેનો નંબર 026-922-64855 છે

હાલ નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા સેવકની ટીમ બનાવી અલગ અલગ વિસ્તારમાં પક્ષીઓને રેક્યું કરી ઘાયલ પક્ષીઓના સેન્ટર પર પહોંચાડી સારવાર કરવામાં આવે છે. અને આ સારવાર કેન્દ્રો વિદ્યાનગર ટાઉન હોલ,ઇસ્કોન રોડ પ્રતાપ પાઉંભાજી પાસે, એ,પી,સી, સર્કેલ જેવા વિસ્તારોમાં કેન્દ્રો કરી રત છે. જેમાં કેન્દ્ર પર પક્ષીને સારવાર કરવામાં આવી રહી છે. આમ વિદ્યાનગરની આ સંસ્થા 14 જાન્યુઆરીથી લઈને 18 જાન્યુઆરીનાં સવારે નવ વાગ્યાયાથી લઇને રાત્રિનાં 8 વાગ્યા સુધી કેન્દ્રો શરૂ રાખી ઘાયલ પક્ષીઓની સારવાર કરશે.

આણંદ વિદ્યાનગર સારવાર કેન્દ્ર ની વિગત અને નંબર આ પ્રમાણે છે

જૂના રામજી મંદિર ગામડી વડ આણંદ
9724335545
ટાઉન હોલ રોડ પાસે આણંદ
9724335545
એ,પી,સી, રોડ પાસે વિદ્યાનગર રોડ આણંદ
9724335545
ઇસ્કોન વિદ્યાનગર રોડ આણંદ
9724335545
ઘાયલ પક્ષી ની સારવાર અર્થે આ કેન્દ્રો પર સંપર્ક કરી શકાય

તમારા શહેરમાંથી (આણંદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Anand, Birds, Local 18, Save, Treatment