Wednesday, January 18, 2023

Ahmedabad: મેડિકલનો અભ્યાસ કરનાર યુવકે અટલબ્રિજ પરથી નદીમા લગાવી છલાંગ, ઇન્સ્ટાગ્રામ પર શું હતી છેલ્લી પોસ્ટ?

અમદાવાદઃ અમદાવાદના અટલબ્રિજ પરથી યુવકે નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. મેડિકલનો અભ્યાસ કરવા અમદાવાદ આવેલા પાલનપુરના યુવકે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, પારિતોષ મોદી નામનો યુવક MBBS ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે NHL કૉલેજમાં અભ્યાસ કરતો હતો. પારિતોષે અટલબ્રિજ પરથી મંગળવારે રાતે છલાંગ લગાવી હતી. જોકે, 20 વર્ષીય પારિતોષ મોદીએ ક્યા કારણોસર જીવન ટૂંકાવ્યું હતું તે જાણી શકાયું નથી.

ફાયરની રેસ્ક્યૂ ટીમે પારિતોષના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસની ટીમે મૃતકના પરિવાજનોને આ અંગેની જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આત્મહત્યા કરતા અગાઉ પારિતોષે ઇન્સ્ટાગ્રામ પર ફ્રીડમ કેપ્શન સાથે અંતિમ પોસ્ટ મુકી હતી. પારિતોષે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

Related Posts: