Mustufa Lakdawala,Rajkot : પોલીસનું નામ પડતા જ પહેલા તો આપણા ચહેરા પર ડરનો ભાવ જોવા મળે. પોલીસ આપણી રક્ષા માટે હોય છે અને પોલીસ આપણી રક્ષા ખુબ જ ઈમાનદારીથી નિભાવે પણ છે. જેનું જીવતુ જાગતુ ઉદાહરણ સામે આવ્યું છે. તમને જણાવી દયે કે એક પ્રજ્ઞાચક્ષુ દંપત્તીનું પૈસાથી અને ડોક્યુમેન્ટથી ભરેલુ પર્સ ખોવાઈ ગયું હતું. પણ ધોળકા PSIએ આ પર્સ પરત કરીને પોતાની ફરજ નીભાવી છે.
મળતી માહિતી અનુસાર પીએસઆઈને 20 હજાર રૂપિયા ભેરલુ પાકિટ મળ્યું હતું. જેમાં કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ પણ હતા. પણ તેઓએ તાત્કાલિક પર્સના માલિકને પહોંચાડવા માટે કવાયત હાથ ધરી હતી.
તમને જણાવી દયે કે પ્રજ્ઞાચક્ષુ અનિલભાઈ સોલંકી તેમના પરિવાર અને મિત્રો સાથે કવિ સંમેલનમાં આવવા માટે અમદાવાદથી રાજકોટ આવવા નિકળ્યા હતા. ત્યારે લિંમડીથી 5-10 કિમી દુર એક હોટલમાં તેઓ ચા પીવા માટે રોકાયા હતા. ત્યારે તેઓ આપર્સ અહિંયા ગુમ થઈ ગયું હતું.
રાજકોટ પહોંચ્યા બાદ જાણ થતાં તેઓ પહેલા તો ડરી જ ગયા હતા.એવામાં અનિલભાઈના નંબર પર એક કોલ આવ્યો હતો.આકોલ હતો ધોળકા ગ્રામ્યના પીએસઆઈમાં ફરજ બજાવતા ધીરજભાઈ વીરડાનો હતો. ધીરજભાઇએ અનિલભાઈ પાસે તમામ માહિતી માંગી હતી અને ત્યારબાદ તેને તેમના ઘરે બોલાવ્યા હતા.અને તેમનું પર્સ અને પૈસા પરત કર્યા હતા.
પીએસઆઈ ધીરજભાઈ વીરડાએ જણાવ્યું હતું કે હું પોલીસમાં છું અને મારી ફરજ ઈમાનદારીની છે. પૈસા 20 હજાર હોય કે 200 પણ મારે એ પૈસા એ જ માલિક પાસે પહોંચે એ જ મારી ફરજ છે. એમાં પણ આ કપલ દિવ્યાંગ હતું. એટલે સમજી શકાઈ કે કેટલી મહેનતથી આ પૈસા ભેગા કર્યા હશે. પણ એને આ પૈસા પરત કરીને મને આનંદ થયો છે.