Tuesday, January 17, 2023

રતુંબડી ધરાનો અનોખો ઇતિહાસ ધરાવતું વઢવાણનું રામપરા ગામ | Rampara village of Vadwan with a unique history of Ratumbadi Dhara

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/17/orig_6_1673913436.jpg

વઢવાણ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 300 વર્ષ પ્રાચીન 3 દરવાજા, 3 ગામનો સમૂહ

700 વર્ષ પ્રાચીન અને ઇતિહાસ ધરાવતા ત્રણ દરબારગઢ યુક્ત રામપરા ગામ છે. લાલ જમીન સાથે નાતો ધરાવતા રામપરા ત્રણ ગામોથી બન્યુ છે.આ ગામમાં રેલ્વે ભવ્ય ભુતકાળ અને સિંચાળના પાણીનો અભાવ વર્તમાન સમસ્યા બની છે.ત્યારે રામપરા વાસીઓ બાવડાના બળે કૃષીક્ષેત્રે ક્રાંતી કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાળી જમીન ફળદ્રુપતા સાથે ખેતીમાં સફળતા મળી છે.ત્યારે વઢવાણમાં રામપરા, ટીંબા વગેરે ગામોની રાતાળ જમીન મગફળી ઉત્પાદન ક્ષેત્રે ઇતિહાસ રચ્યો હતો.આ લાલ જમીન પર ખેડૂતો સફેદ કપડા પહેરીને ખેતી કરે છે. કહેવાય છે કે લાલરંગની માટી ખેડૂતોના સફેદ કપડાને લાલ બનાવી દે છે.વઢવાણ પંથકમાં લાલીયા, ટીંબા, ભુરખીયા સહિત ત્રણ ગામો હતા.પરંતુ રંજાડને કારણે રામપરા ગામ ત્રણસો વર્ષ પહેલા વસ્યુ હોવાનુ મનાય છે.

રામપરા ફરતે ગઢ કે કિલ્લો બનાવાયો હતો.જેમાં ત્રણ દરવાજા પ્રખ્યાત બન્યા હતા.એક દરવાજો વસ્તડીનો બીજો વઢવાણનો અને ત્રીજો મુળી પંથકને જોડતો નામ અપાયા છે.આ ગામમાં મુખ્યત્વે નાડોદા રાજપૂત, કોળીપટેલ સમાજના લોકો વસે છે.રામપરાની વસ્તી હાલ 10,000 આસપાસ હોવાનુ મનાય છે.આ ગામની મુખ્ય સમસ્યા સિંચાઇનુ પાણીનો અભાવ છે.ગ્રામજનો 1000થી 2000 ફુટ પાણીની પાઇપલાઇન નાંખીને સિંચાઇ કરે છે.જ્યારે બંધ રેલ્વે લાઇન અને બસની સુવિધાનો અભાવ પણ વાહન વ્યવહાર વિકાસને અડચણ રૂપ છે.

રેલવેની સુવિધાનો ભવ્ય ભૂતકાળ , રાજાશાહી બાદ લોકશાહી આવતા ટ્રેન બંધ થઇ
સાયલા, જોરાવરનગરને જોડતી બાપુ ગાડી રામપરા રેલ્વે સ્ટેશન પર ઉભી રહેતી હતી.જ્યારે આસપાસના ગામોના લોકો રામપરા રેલ્વે સ્ટેશન પર ઉતરતા હતા. પરંતુ રાજાશાહી બાદ લોકશાહી આવતા ટ્રેન બંધ થઇ હતી.આજે પણ રેલ્વે પાટા અને રેલ્વે સ્ટેશનના અવશેષો મોજુદ છે.પરંતુ રેલ્વે બંધ થતા રામપરાને વઢવાણ અથવા નવા ખાનગી વાહનો ઉપયોગ કરવો પડે છે.જ્યારે એસટી બસ પુન: ચાલુ થાય તેવીમાંગ છે.

વઢવાણના અમુક ગામો નર્મદા કમાન્ડના એરિયામાં આવતા નથી, જેમાં રામપરા ગામનો પણ સમાવેશ
વઢવાણ તાલુકાના અમુક ગામો નર્મદા કમાન્ડના એરીયામાં આવતા નથી.જેમાં રામપરા ગામનો પણ સમાવેશ થાય છે.આથી ગ્રામજનોને રતુંબડી જમીન પર મગફળી કે અન્ય વાવેતર માટે પાણી માટે પરસેવો પાડવો પડે છે.જ્યારે નર્મદાના નીર માટે પુર્વતાલુકા પ્રમુખ વનરાજભાઇ પરમાર, જયેશભાઇ ચાવડા વગેરેએ એક દાયકાથી રાજકીય આગેવાનો સાથે ગાંધીનગર દોડધામ કરી રહ્યા છે.

માત્રી વાવ ભાબારી, સ્વામિનારાયણ મંદિર આકર્ષણ કેન્દ્ર હનુમાનજી મંદિર અડીખમ આસ્થારૂપ
રામપરા ગામ પહેલા ભાબારી ગામ વસતુ હતુ આજે અહીં માત્ર હનુમાનજી મંદિર અડીખમ આસ્થા રૂપ છે.બીજી તરફ માત્રી વાવ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.આ વાવની કોતરણી અને શિલ્પ સ્થાપત્ય જોવા લાયક છે.આ ઉપરાંત પાણી અને રતુંબડી જમીન પણ ખેંચાણ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: