સિન્ધી સમાજને શૈક્ષણિક, આર્થિક, રાજકીય, વેપારક્ષેત્રે એકતા સાથે આગળ ધપાવવા રણનિતી ઘડવામાં આવશે | A strategy will be formulated to move the Sindhi society forward with unity in educational, economic, political, commercial fields.

વેરાવળએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • વેરાવળ-પાટણ સિન્ધી મરર્ચન્ટ એસોસિએશનની ચૂંટણી યોજાઈ, હોદ્દાદારોની વરણી કરાઈ

વેરાવળ સિન્ધી મર્ચન્ટ એસો. સંગઠનની રચના 2019માં અલગ અલગ વ્યવસાય ધરાવતા જેમ કે અનાજ કરીયાણા, ગારમેન્ટ, ફરસાણ, કાપડ, બેકર્સ, ટોબેકો, મોબાઈલ શોપ, પ્રોવીઝન, ફુટવેર, કન્ફેન્સરી, શાકભાજી, રેશનીંગ, ચા, સાબુ- પાવડર, બિલ્ડર, ટ્રાવેલ્સ, રેસ્ટોરન્ટ, હોટેલ, ઈલેક્ટ્રીક, કન્ઝ્યુમર, ગીફ્ટ આર્ટીકલ, જવેલર્સ, ડોક્ટર, ચા સ્ટોલ, પાન સ્ટોલ સહિતના વેપારીઓ એક જ પ્લેટફોર્મ હેઠળ સંગઠીત થાય એ હેતુથી કરવામાં આવી હતી.

વર્ષ 2023-24ના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યોની નિમણુક માટે સંગઠનની મિટિંગ યોજાઈ હતી. જેમાં સભ્યોની ઉપસ્થિતિમાં પ્રમુખ ચંદ્રકાંત ક્રિષ્નાણી (સિકે), મહામંત્રી મનોજભાઈ નાજકાણી, ઉપપ્રમુખ લાલુભાઈ માખેચા અને મુરલીભાઈ સોનૈયા,ખજાનચી કેશુભાઈ ભંભાણી, સહમંત્રી લક્ષ્મણભાઈ ચંદનાણી અને હરીશભાઈ રામાણી તેમજ સંગઠન મંત્રી સુરેશભાઈ કાંજાણીની નિમણુક કરાઈ હતી. કાર્યક્રમના અંતે સમાજ શૈક્ષણીક, આર્થિક, ધાર્મિક, રાજકીય તેમજ વેપાર ક્ષેત્રે એકતાની સાથે પ્રગતિનાં પંથે આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી અને સંગઠનમાં સમાજના વિકાસ માટેના એજન્ડા નક્કી કરી વિચાર વિમર્શ કરાયો હતો.} તસવીર -તુલસી કારીયા

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post