Wednesday, January 18, 2023

મૃતક આધેડની હત્યા થયાની આશંકા, કમલાબાગ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ | Suspecting that the dead middle-aged man was murdered, the Kamalbagh police conducted an investigation

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/18/p1_1674013500.gif

પોરબંદર18 મિનિટ પહેલા

પોરબંદર શહેરના ભંગાર બજારમાથી એક મૃતદેહ મળી આવ્યો છે. જેમાં શહેરના એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલા ભંગાર બજારમાં એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગેની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના એસટી ડેપો પાછળ આવેલા ભંગાર બજારમાં એક આધેડ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ કમલાબાગ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આધેડના મોત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે મૃતકનું નામ રમેશ ત્રિભુવન કણજારા ઉ.વ.58 હોવાનું સામે આવ્યું છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોઈ અજાણ્યા ઈસમો સાથે મૃતકની બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારી થઈ હતી અને મારામારીના ઘટનામાં હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શહેરની સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

ત્યારે કમલાબાગ પોલીસ દ્વારા મૃતકની હત્યા અંગે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામા આવી છે. અને સમગ્ર ઘટના શું બનવા પામી હતી જેના કારણે મૃતક રમેશ કણજારાની હત્યા કરવામા આવી છે. તેને લઈને કમલાબાગ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે…