અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેની સાથે H3N2 ઈન્ફલુ એન્ઝા વાયરસના કેસો વધી રહ્યા છે. કોરોના દરમિયાન લોકોની ઇમ્યુનિટી ઘટી ગઈ હતી. વેક્સિનના કારણે ત્રીજી વેવમાં કોરોના ઘાતક બન્યો ન હતો. કોરોનાથી બચવા માટે વેક્સિન જ એક માત્ર ઉપાય છે. ત્યારે સરકાર દ્વારા ત્રીજો ડોઝ એટલે કે બુસ્ટર ડોઝ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ લોકો બુસ્ટર ડોઝ લેવા એટલા જાગૃત બન્યા નથી જેના કારણે ફરી કોરોના અને ઇન્ક્લુએન્ઝા વાઇરસનો કહેર વધ્યા છે. અમદાવાદમાં માત્ર 20 ટકા લોકોએ જ બુસ્ટરડોઝ લીધો છે. 90 ટકા લોકોએ બુસ્ટર ડોઝ લીધો નથી જેથી કોરોનાની હજી કેટલાક લોકોને અસર થાય છે પરંતુ ટેસ્ટ કરાવતા ન હોવાના કારણે આ કેસો સામે આવતા ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
લોકોમાં ઇમ્યુનિટી ઘટતા કોરોના વકર્યો
કોરોનાના કેસો વધ્યા ત્યારબાદ સરકાર દ્વારા વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ડોઝ, બીજો ડોઝ અને બુસ્ટર ડોઝ પણ શરૂ કરવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી વેવ બાદ બુસ્ટર ડોઝ લોકોને આપવામાં આવે છે, પરંતુ અમદાવાદ શહેરમાં 52.85 લાખ લોકોમાંથી માત્ર 10.72 લાખ લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ સેન્ટરોમાં રોજના માત્ર 15થી 20 લોકો જ વેક્સિન લેવા આવે છે. વેક્સિન લેવાના કારણે લોકોની ઇમ્યુનિટી વધતી હતી અને કોરોના સામે રક્ષણ મળતું હતું, પરંતુ હવે કોરોના જતો રહ્યો છે તેમ માની અને લોકો વેક્સિન લેતા નથી. ત્યારે ફરી એકવાર લોકોમાં ઇમ્યુનિટી ઘટેલી હોવાના કારણે કોરોના વકર્યો છે.
બુસ્ટર ડોઝ લેવા આરોગ્ય વિભાગની અપીલ
અમદાવાદ શહેરમાં બીજો ડોઝ પણ 90 ટકા લોકોએ જ લીધો છે હજી 10 ટકા લોકો બીજો ડોઝ લીધો નથી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ 4.66 લાખ લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. જ્યારે કોટ વિસ્તારમાં માત્ર 94,400 જેટલા જ લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. વેક્સિન લેવાથી ઇમ્યુનિટીમાં વધારો થાય છે ત્યારે બુસ્ટર ડોઝ લેવા માટે થઈ અને લોકોને આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.