જુનાગઢએક કલાક પહેલા
ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતા થયા છે અને લોકોની સ્વાસ્થ્ય સુખાકારી જળવાઈ રહે તે હેતુથી કોઈપણ પ્રકારના રસાયણ કે દવાના છંટકાવ વગર પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે ત્યારે હવે જુનાગઢ પોલીસ દ્વારા પણ પ્રાકૃતિક રીતે ખેતી કરી પીટીસી ગ્રાઉન્ડ ખાતે આવતા તાલીમાર્થીઓ અને પોલીસ પરિવારોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી પોલીસ જ પ્રાકૃતિક રીતે શાકભાજી ઉગાડી રહી છે.

પ્રાકૃતિક ખેતી પદ્ધતિ બાબતે જુનાગઢ રેંજ આઈ.જી મયંકસિંહ ચાવડા એ જૂનાગઢમાં ચાર્જ સંભાળતા જિલ્લાની ધરોહર ગણાતા 4 મકાનો આવેલા છે .જુનાગઢ પીટીસી ટોટલ 234 એકર જગ્યામાં ફેલાયેલું છે. જેમાં સ્વિમિંગ પૂલ, કૌમુદી વિહાર ,જૂનું વહીવટી ભવન અને એસેમ્બલી હોલ છે. જે બાબતે જુનાગઢ રેન્જ આઇ.જી મયંકસિંહ ચાવડા દ્વારા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સંપર્ક કરી અને સ્ટ્રકચરલ એન્જિનિયર બોલાવી આ બિલ્ડીંગો રીનોવેશન થઈ શકે કે નહીં તે તપાસવાનું કાર્ય શરૂ કર્યું હતું. જે બાબતે આવાસ નિગમના એડીજી એ રૂબરૂ મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરી આ જૂનાગઢની ધરોહરને જાળવવા માટે પહેલ કરી હતી અને ત્યારબાદ તાલીમ સેન્ટરના ડીજીપી વિકાસ સહાય દ્વારા ગ્રાઉન્ડની મુલાકાત લઇ આ જૂનાગઢની શાન સમા બિલ્ડિંગ સક્ષમ લાગતા રીનોવેશન કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી

જુનાગઢ પીટીસીની એક જગ્યા એવી હતી કે જ્યાં કોઈ પણ લોકો જતા નહીં મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે જ્યારે તે અહીં આવ્યા ત્યારે ત્રીજા દિવસે એક સિંહે મારણ કરેલું હતું ચાર દિવસ બાદ બીજા વન્ય પ્રાણીએ તે વિસ્તારમાં મારણ કરેલું હતું અને આ 63 એકરની જગ્યાની આસપાસ વન્ય પ્રાણીઓ ની અવરજવર પણ હતી. જ્યારે રેન્જ આઈ જી મયંકસિંહ ચાવડા એક સમયે સવારના મોર્નિંગ પર ગયા ત્યારે ઘણા બુટલેગરોની ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ શરૂ હતી. જ્યાં આવેલા પાણીના બોર માંથી લાઇન પણ નખાયેલી હતી. તાત્કાલિક ધોરણે આ ગેર કાયદેસર પ્રવૃતિઓને બંધ કતાવવામાં આવી હતી અને આ જમીનનો અને સુવિધાનો લાભ પોલીસ પરિવારે લેવો જોઈએ તેવું વિચાર્યું હતું.પીટીસી ગ્રાઉન્ડમાં આવેલ આ પડતર જગ્યા ને સફાઈ કરી અને વધારે પેસકદમી ન થાય તે માટે વહેલી તકે કાર્ય આરંભ્યું હતું.

હાલ 10 વીઘા ની જગ્યામાં જુદા જુદા પ્રકારનું પ્રાકૃતિક પદ્ધતિ હેઠળ શાકભાજી ઉગાડવામાં આવ્યું છે. વાવેતર કરેલું શાકભાજી પીટીસીમાં પોલીસ પરિવારોને આપવામાં આવે છે. તેમજ જુનાગઢ પોલીસને પણ આ ઓર્ગેનિક શાકભાજીનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. આ શાકભાજીની આવકમાંથી વધારેમાં વધારે વિસ્તારમાં શાકભાજી વાવી શકાય અને લોકો પ્રાકૃતિક અને રાસાયણિક દવા વગરનું શાકભાજી ખાઈ શકે તેવા હેતુથી આ શાકભાજીમાંથી થતી આવકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ આ શાકભાજીની આવકમાંથી ઉગાડેલા શાકભાજીમાં પાણી માટેના સાધનો પાઇપલાઇન, ટ્યુબ, મોટર ,જમીન ખેડવાના સાધનો પાવડા, કોદાળી ,તગારા અને વધારાનું બિયારણ આ બધું લઈ તમામ જગ્યાએ વાવેતર કરી પીટીસીની જગ્યાનો સારા આસાયથી ઉપયોગ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલમાં જ્યારે ઉનાળાનો સમય શરૂ થઈ ગયો છે ત્યારે ગુવાર ,ભીંડો, ચોળી, ,દુધી, ઘીસોડા, કાકડી જેવા અલગ અલગ પ્રકારના શાકભાજી વાવવામાં આવે છે અગાઉ જ્યારે શિયાળાની સીઝન હતી ત્યારે શિયાળુ પાક આ જમીનમાંથી લેવામાં આવ્યો હતો. હાલના સમયમાં વાઘેલા જમીનમાંથી રોજનો 100 કિલોનો શાકભાજીની આવક થાય છે.

જ્યારે દિવ્ય ભાસ્કરે મયંકસિંહ ચાવડાને આ બાબતે પૂછતા તેમને વધુમાં જણાવ્યું હતું કે પીટીસી ગ્રાઉન્ડમાં પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવતા શાકભાજીનું મુખ્ય કારણ પોલીસના તાલીમાર્થીઓને ઓર્ગેનિક ખોરાક મળે, તાલીમાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાઈ. તેવા હેતુથી આ પ્રાકૃતિક ખેતીનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.આ ઓર્ગેનિક શાકભાજીમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવતો અને કોઈપણ પ્રકારની જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી ગ્રાઉન્ડમાં વાવેતર બાદ પ્રાકૃતિક ખેતીની એક અલગ પહેલ શરૂ થઈ છે.

રેન્જ આઈ.જી મયંકસિંહ ચાવડાએ પ્રાકૃતિક ખેતીને લઈને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે તેમજ જુનાગઢ પીટીસી પોલીસ સ્ટાફ પણ પ્રાકૃતિક ખેતી પ્રત્યેના ઉત્સાહી વિચારક છે. એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને ગાંધીનગર વિભાગ દ્વારા જે ચોરવાડ ખાતે આવેલી બ્રાન્ચ ની મદદથી પ્રાકૃતિક ખેતીના નિષ્ણાંતો પણ માનદ સેવા આપી પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રોત્સાહન આપી મદદરૂપ થઈ રહ્યા છે..



