અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા
આખું વર્ષ અભ્યાસ કર્યા પછી જ્યારે વાર્ષિક બોર્ડની પરીક્ષા હોય ત્યારે પરીક્ષામાં સમય સુચકતા જાળવવીએ દરેક વિદ્યાર્થીની ફરજ છે. જો સમય પાબંધી ના જળવાય તો તે વિદ્યાર્થીને પરીક્ષાથી વંચિત રહેવું પડે છે. આવી જ એક ઘટના મોડાસા ખાતે બનવા પામી છે.

આજે ધોરણ 10 ની પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા સમયસર શરૂ થઈ હતી. આ પરીક્ષા કેન્દ્રમાં એક વિદ્યાર્થીની સમય કરતા 20 મિનિટ લેટ પહોંચી હતી. પરિક્ષામાં લેટ થવાના કારણે પરીક્ષા સંવાહકે પરીક્ષામાં બેસવા ના દીધી હતી. વિદ્યાર્થીનીએ અનેક આજીજી વિનંતી કરી પણ પરીક્ષા સંચાલક દ્વારા કોઈ આજીજી સાંભળ્યા વગર પરીક્ષામાં બેસવા ના દેતા છેવટે વિદ્યાર્થીનીએ આજના પેપરથી વંચિત રહેવું પડ્યું હતુ. આમ સમયની નિયમિતતા પરીક્ષા સમયે રાખવી એ જરૂરી છે અને જો સમયમાં પાબંધી ના રાખીએ તો આખું વર્ષ કરેલી મહેનત નિષ્ફળ જાય છે. આમ એક ઉદાહરણ રૂપ કિસ્સો મોડાસા પરીક્ષા કેન્દ્રમાં બનવા પામ્યો છે.
