પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક

પાટણ શહેરમાં 100 નીચકેતા ફાઉન્ડેશન સંચાલિત નચિકેતા સ્કૂલ ઓફ ડિફેન્સ દવરા યુવાનો ને અગ્નિ વીર યોજના અને આર્મી માં ભરતી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. 100-નચિકેતા ફાઉન્ડેશન,પાટણ સંચાલિત નચિકેતા સ્કૂલ ઓફ ડિફેન્સ દ્વારા આજરોજ ગાંધી સ્મૃતિ હોલ ખાતે યુવાનોને અગ્નિવીર યોજના તથા આર્મીમાં જોડાવા માટેનો માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો.જેમાં ગઈ ભરતીમાં ફાઉન્ડેશનમાં તૈયારી કરતા 15 યુવાનો પાસ થયા છે તેમના માતા પિતાનું સન્માન કરવામાં આવ્યું તથા આર્મીની ભરતી દરમિયાન યુવાનોને નિ:શુલ્ક સેવા આપનાર સમાજ શ્રેષ્ટીઓનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું.

ફાઉન્ડેશન દ્વારા યુવાનોને નિ:શુલ્ક લેખિત પરીક્ષાની તાલીમ તથા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે જેના વર્ગો આવતીકાલથી શરૂ થનાર છે જે પણ યુવાનોને તાલીમ લેવી હોય તેમને સંસ્થા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.ભરતી લક્ષી માર્ગદર્શન માટે મુકેશભાઈ ઠાકોર(7359407897) નો સંપર્ક કરી શકાશે.
.
