જામનગર32 મિનિટ પહેલા
- કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર લોકોને મળી શકે તે માટે જુદા જુદા બે દિવસ માટેનો સમય નિર્ધારિત કરવામાં આવ્યોછે, અને સોમવાર અને મંગળવારના દિવસો દરમિયાન સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પ્રજાજનોને મળી શકશે અને તેઓના પ્રશ્નો સાંભળશે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા સ્પષ્ટ અને પારદર્શક લોકાભીમુખ વહીવટ જળવાઈ રહે તથા અંતર માળખાકીય બેઠકો મુલાકાતીઓ વગેરે માટે યોગ્ય સમય ફાળવી શકાય તે દૃષ્ટિએ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડીને ચાલુ કામના દિવસો દરમિયાન દર સોમવાર અને મંગળવારે સવારે 11 થી 1 સુધીના સમયમાં જાહેર જનતા પોતાના કાર્ય અર્થે મળી શકાશે.જો કોઈ સરકારી મીટીંગ કે અનિવાર્ય સંજોગોને કારણે આ મુલાકાત શેડ્યુલ રદ થવાને પાત્ર રહેશે, જેની સર્વે જાહેર જનતાએ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું