Monday, March 13, 2023

પંચમહાલના 150 ખેડૂતોને બાગાયતી ખેતી માટે રાજ્ય બહાર તાલીમ અર્થે મોકલાયા, ટેક્નોલોજી શીખી ખેડૂતો ખેતી કરે તે આયોજનનો મુખ્ય હેતુ | 150 farmers of Panchmahal were sent for training outside the state for horticulture, the main purpose of planning is that the farmers learn the technology and cultivate. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • 150 Farmers Of Panchmahal Were Sent For Training Outside The State For Horticulture, The Main Purpose Of Planning Is That The Farmers Learn The Technology And Cultivate.

પંચમહાલ (ગોધરા)9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે મુહિમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના નાયબ બાગાયત નિયામક નિલેષ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા તથા રસ ધરાવતા ખેડૂતોને રાજ્ય બહાર તાલીમ અર્થે મોકલવામાં આવ્યા છે. બહારની જુદી જુદી સંસ્થાઓની મુલાકાત માટે ખેડૂતોને મોકલવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના 150 ખેડૂતો કુરુક્ષેત્ર સ્થિત સંસ્થા સહિતના સ્થળોની મુલાકાત લઈને તાલીમ મેળવશે.

ટેક્નોલોજી શીખી ખેડૂતો ખેતી કરે તે ઉદ્દેશ
દર મુલાકાતથી ખેડૂતો ગાય આધારિત ખેતી કરતાં થાય તથા તેઓની જમીનની ગુણવત્તા સુધરે તે તાલીમના હેતુ છે. આ ઉપરાંત ખેતી ખર્ચ ઘટે તેના પર પણ ધ્યાન આપવામાં આવશે. પંચમહાલ જિલ્લાના ખેડૂતો જુદા જુદા રાજ્યો અને યુનિવર્સિટી કેન્દ્રો ખાતે પણ મુલાકાત લેશે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યાંની નવીન ટેક્નોલોજી શીખી અને જિલ્લામાં ખેતી કરતા થાય તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે તેમ બાગાયત અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…