Monday, March 13, 2023

જેતલસરમાં પુત્રીના હત્યારાને ફાંસીની સજા, પિતાએ કહ્યું- 2 વર્ષ માનસિક ત્રાસમાં ગુજર્યો, વહેલી સજા થાત તો આજે સુરતની ગ્રીષ્મા જીવતી હોત | Parents cry as daughter's killer gets death sentence in Jetalsar | Times Of Ahmedabad

રાજકોટ44 મિનિટ પહેલા

જેતલસરની સૃષ્ટિ રૈયાણીના એકતરફી પ્રેમમાં પાગલ આરોપી જયેશે છરીના 36 ઘા ઝીંકી બેરહેમીથી તેની હત્યા કરી હતી. ત્યારે 727 દિવસ બાદ આજે આરોપી જયેશ સરવૈયાને જેતપુર સેસન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારતા કોર્ટ રૂમની બહાર માતા-પિતાની આંખો આંસુઓથી છલકાઈ રહી હતી. પિતા કિશોરભાઈએ જણાવ્યું હતું કે, બે વર્ષથી માનસિક ત્રાસમાં ગુજર્યો છું, વહેલી સજા થાત તો આજે સુરતની ગ્રીષ્મા જીવતી હોત. માતા શીતલબેને જણાવ્યું હતું કે, મારી દીકરીને આજે ન્યાય મળ્યો છે, આથી હું બધાનો આભાર માનું છું. અમારી એ જ માગ હતી કે, આરોપીને ફાંસીની સજા મળે અને મારી દીકરીની આત્માને શાંતિ મળે.

સાચુ કહું તો આ સત્યની જીત છે
કિશોરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અમે આરોપીને ફાંસીની સજા થાય તેવી માગી હતી. આજે આરોપીને એ સજા મળી ગઈ છે. દિલીપભાઈ ભુવા જે ઘટનાના પહેલા દિવસથી અત્યારસુધી મારી સાથે હતા. રાતે જરૂર પડે તો રાતે દોડી આવતા હતા. જે-તે સમયે બનાવ બન્યો ત્યારે સમગ્ર જેતલસર ગામે મને સપોર્ટ કર્યો છે જેનો હું દિલથી આભાર માનું છું. અમારા વકીલોનો પણ આભાર માનું છું. ન્યાયતંત્રએ પણ અમારી જે માગણી હતી તે જ સજા આરોપીને કરી છે. પહેલા પણ અને અત્યારે પણ ન્યાયતંત્ર પર ભરોસો હતો. સાચુ કહું તો આ સત્યની જીત છે.

સુરતમાં ગ્રીષ્માની હત્યા થઈ હતી (ફાઈલ તસવીર)

સુરતમાં ગ્રીષ્માની હત્યા થઈ હતી (ફાઈલ તસવીર)

ગ્રીષ્મા હયાત હોત એવું મારું માનવું છે
કિશોરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરીના હત્યારાને સમયસર સજા મળી ગઈ હોત તો સુરતમાં ગ્રીષ્માનું મર્ડર થયું હતું તે કદાચ ન થાત. આજે ગ્રીષ્મા હયાત હોત એવું મારું માનવું છે. ચુકાદાને સમય તો લાગ્યો છે. પરંતુ મારે જે ન્યાય જોઇતો હતો તે આજે મળી ચૂક્યો છે. મારું તો એવું માનવું છે કે, કદાચ એક વર્ષ પહેલા આનો ચુકાદો આપી દીધો હોત તો આવી ઘટનાઓ બનતા અટકી જાત.

હું જ સમજી શકું કે આની મનોવ્યથા શું હોય
કિશોરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આવી વ્યક્તિને સમાજમાં છૂટી મૂકાઇ પણ નહીં. ઘરે ઘરે દીકરીઓ છે, આ ચુકાદાથી ઘણા અસામાજીક તત્વોમાં ડર વ્યાપી જશે. હું બે વર્ષથી માનસિક ત્રાસમાંથી પસાર થયો હતો. એટલે હું જ સમજી શકું કે આની મનોવ્યથા શું હોય. બસ મારે જે જોઇતું હતું તે મળી ગયું છે. જે ઢોર માનસિકતા ગુમાવી ચૂક્યું હોય તેવી હાલત આરોપીની જોવા મળી હતી. તેને મનમાં એવું કાંઈ હતું જ નહીં કે મેં છરીના 34 ઘા મારી હત્યા કરી છે.

સૃષ્ટિના ભાઈ હર્ષને પણ આરોપીએ છરીના 5 ઘા ઝીંક્યા હતા.

સૃષ્ટિના ભાઈ હર્ષને પણ આરોપીએ છરીના 5 ઘા ઝીંક્યા હતા.

મને પણ છરીના 5 ઘા મારી ઇજા પહોંચાડી હતી
સૃષ્ટિના ભાઈ હર્ષએ જણાવ્યું હતું કે, મારી બહેનને ન્યાય મળ્યો છે એ ખૂબ જ સારી વાત છે. મારી બહેનને જેવી રીતે છરીના ઘા મારી હત્યા કરી હતી. મને પણ છરીના 5 ઘા મારી ઇજા પહોંચાડી હતી. આ ઘટના ખૂબ જ ઘાતકી હતી. મારી બહેનને ન્યાય મળે એ માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા. આજે મારી બહેનને ન્યાય મળી ગયો છે. આરોપીને ફાંસીની સજા થઈ છે. અમારા પરિવારને પહેલેથી છેલ્લે સુધી જે લોકોએ સહકાર આપ્યો હતો તે બધાનો આભાર માનું છું.

સજા ફટકારાતા જ કોર્ટરૂમની બહાર માતા ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા.

સજા ફટકારાતા જ કોર્ટરૂમની બહાર માતા ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા.

શું હતી ચકચારી ઘટના
1 વર્ષ, 11 મહિના અને 25 દિવસ એટલેકે 727 દિવસ પહેલા જેતલસર ગામે રહેતો જયેશ ગિરધરભાઈ સરવૈયા નામના યુવાન ગામની સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી નામની તરુણીના એકતરફી પ્રેમમાં પાગલ હતો, જેથી તેને પામવા માટે વારે વારે પ્રયાસો કરતો હતો. અને સૃષ્ટિ ધોરણ 11માં જેતપુરમાં અભ્યાસ કરતી હતી. ત્યાં તે તેની પાછળ પાછળ જતો. એમાં ગત તારીખ 16 માર્ચ 2021ના રોજ તરુણીના પિતા કિશોરભાઈ અને માતા શીતલબેન ખેતમજૂરીએ ગયાં હતાં. ત્યારે બપોરના સમયે મોકો જોઇ ઘરમાં ઘૂસી તરુણીને લગ્ન માટે દબાણ કર્યું હતું, પરંતુ તરુણીએ જયેશને તાબે થઈ ન હતી.

આરોપી જયેશ સરવૈયા.

આરોપી જયેશ સરવૈયા.

મારી નહિ તો કોઈની નહિ
ઉશ્કેરાઈ ગયેલા જ્યેશે તરુણીને પ્રથમ ઢોરમાર માર્યો હતો. તેમ છતાં તે એકની બે ન થઈ અને લગ્ન માટે ના જ પાડતી રહી. અંતે, ‘મારી નહિ તો કોઈની નહિ’ એવા આશય સાથે શેતાન બની ગયેલા જયેશે પડઘામાંથી છરી કાઢી એક નહિ, બે નહિ, પરંતુ 32 જેટલા ઘા મારી આખી વીંધી નાખી. આ દરમિયાન ઘરમાં હાજર સગીર ભાઈ હર્ષ બેનને લોહીલુહાણ હાલતમાં કણસતી જોતા બચાવવા વચ્ચે પડ્યો, પરંતુ જેના પર શેતાન સવાર થયો હતો તે જ્યેશે હર્ષને પણ છરીના ઘા માર્યા હતા. મરણોતલ ઇજાથી તડપતી બેન ભાઈને બચાવવા વચ્ચે પડતાં જ્યેશે સૃષ્ટિને વધુ ચાર છરીના ઘા મારી દેતાં તેને છરીના કુલ 36 ઘા લાગ્યા હોવાથી ત્યાં જ ઢળી પડી.

સૃષ્ટિની માતાના રૂદનથી કોર્ટરૂમ બહાર કરૂણ દૃશ્યો સર્જાયા હતા.

સૃષ્ટિની માતાના રૂદનથી કોર્ટરૂમ બહાર કરૂણ દૃશ્યો સર્જાયા હતા.

હર્ષ પાડોશીના ઘરની બહાર ફસડાઈ પડ્યો
આ બાજુ લોહીલુહાણ થઈ ગયેલી સગીર હર્ષ પોતાના જીવ બચાવવા શેરીમાં ભાગતાં જ્યેશે તેને વધુ ઘા મારી દેતાં 8 જેટલા ઘાથી હર્ષ પાડોશીના ઘરની બહાર ફસડાઈ પડ્યો હતો. આમ, આખી શેરીમાં લોહીની નદી વહેતી હોય એવું દૃશ્ય સર્જાઈ ગયું અને બંને ભાઈ-બેન લોહીથી લથબથ જમીન પર પડેલાં જોઈ જયેશ હાથમાં લોહી નીતરતી છરી સાથે આરામથી ત્યાંથી ચાલ્યો ગયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: