- Gujarati News
- Local
- Gujarat
- Narmada
- Narmada Parikrama Starts From March 22, Special Faith Among Devotees Towards The Three And A Half Thousand Km Parikrama, Will Be Completed On April 22
નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા
નર્મદા નદીના કાંઠા પર કરવામાં આવે છે. આ પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં પગપાળા કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ એક મહિના દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી ધન્યતા અનુભવે છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે, ત્યારે એ પ્રવાહ ઉત્તરવાહિની તરીકે ઓળખાય છે. એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે. આથી અહીં નર્મદા નદીને ઉત્તરવાહિની કહેવામાં આવે છે.

ત્રણથી સાડા ત્રણ હજાર કિલોમીટર જેટલું અંતર
નર્મદા નદીના દર્શન માત્રથી ભક્તોના પાપોનો નાશ થાય છે તેવી માન્યતા છે. આવું ધાર્મિક મહત્ત્વ ધરાવતી પૂણ્ય સલિલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા આશરે ત્રણથી સાડા ત્રણ હજાર કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે. જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાને કારણે શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા કરતા હોય છે.

રામપુરા ગામથી તિલકવાડા અને ત્યાંથી રામપુરા ગામ સુધી યાત્રા
ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનો પ્રારંભ 22 માર્ચથી થશે ને 20 એપ્રિલે પૂર્ણ થશે. પશ્ચિમ તટે રામપુરા ગામથી તિલકવાડા સુધી તેમજ પૂર્વી તટે તિલકવાડાથી રામપુરા ગામ સુધી જતી નર્મદા પરિક્રમા આશરે 22 કિલોમીટર જેટલા અંતરની થાય છે. આ પરિક્રમા 3 વાર કરવાથીને 3750 કિમી પગપાળા પરિક્રમા કરવાનું ફળ અને 71 પેઢીનો મોક્ષ મળે છે. જેમાં બે વખત હોડીમાં બેસી નર્મદા નદીને પસાર કરવી પડે છે. આવી માન્યાતા શ્રધ્ધાળુઓમાં હોય છે.
