ભરૂચએક કલાક પહેલા
- કૉપી લિંક

નાણાંકીય વર્ષને પુરું થવાને માંડ 18 દિવસો બાકી છે ત્યાં ભરૂચ પાલિકા બાકી મિલકત વેરા ધારકો સામે વધુ કડક બની રહી છે. શહેરના તમામ 11 વોર્ડમાં બાકીદારો પાસેથી વસુલાત માટે ટીમો બનાવાય છે. સ્થળ ઉપર કે કચેરીમાં વેરો નહી ભરતા બાકીદાર મિલકત ધારકો સામે સિલિગની કાર્યવાહી પણ સખ્ત કરાઈ છે.
શનિવારે પાલિકાની ટીમોએ એક જ દિવસમાં બાકી વેરા વસુલાત માટે પાંચ પાણીના જોડાણ કાપી નાખ્યા હતા. તો વર્ષોથી વેરો નહીં ભરતા 23 કોમર્શિયલ મિલકતોને સીલ મારી દેવામાં આવી હતી. નળ જોડાણો કટ કે મિલકત સિલિંગથી બચવા બકીદારોને તાત્કાલીક અસરથી વેરો ભરપાઈ કરવા તાકીદ કરાઈ છે.
અન્ય સમાચારો પણ છે…