Thursday, March 9, 2023

ગાંધીનગરના સેકટર - 24 શ્રીનગર સોસાયટીમાં નજીવી બાબતે ધિંગાણું થયું, તલવાર વડે હુમલો કરી વકીલની હત્યાનો પ્રયાસ | In Gandhinagar's Sector-24 Srinagar society, there was a scandal over a trivial matter, an attempt was made to kill a lawyer by attacking him with a sword. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In Gandhinagar’s Sector 24 Srinagar Society, There Was A Scandal Over A Trivial Matter, An Attempt Was Made To Kill A Lawyer By Attacking Him With A Sword.

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના સેકટર – 24 શ્રીનગર સોસાયટીમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે ઘાતક હથિયારો વડે ધિંગાણું સર્જાયું હતું. જેમાં સિમેન્ટના બ્લોક, પાઇપો તેમજ તલવાર વડે હૂમલો કરી વકીલની હત્યાનો પ્રયાસ થયો હતો. જે મામલે સેકટર – 21 પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર સેકટર – 24 શ્રીનગર સોસાયટીમાં રહેતાં 24 વર્ષીય વકીલ જગદીશભાઈ અતુલભાઇ દેસાઈ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ 8મી માર્ચની રાત્રે જમી પરવારીને આંટો મારવા નીકળ્યા હતા. ત્યારે નજીકમાં રહેતાં કસ્તુર ભાઈ મારવાડી (માલી) ના ઘર આગળ કેટલાક માણસો ગાળાગાળી કરી રહ્યા હતા. આથી જગદીશભાઈએ સોસાયટીમાં અન્ય લોકો પણ રહેતાં હોવાનું જણાવી ગાળો નહીં બોલવા કહ્યું હતું.

આ સાંભળીને કસ્તુરભાઈ એકદમ ઉશ્કેરાઈ ગાળો બોલી કહેવા લાગેલ કે તું તારી પંચાયત કરે મને તારે કાંઈ કહેવાનું નહીં. અને નીચે પડેલ સિમેન્ટનો બ્લોક માથામાં મારી દીધો હતો. જેનું ઉપરાણું લઈને તેના દીકરા આકાશ અને સંજય અને તેના ભાઈ તુલસીભાઈ માલી તલવાર તથા પાઇપો લઇને આવી ગયા હતા. બાદમાં આકાશે તલવાર કપાળના તેમજ માથાના ભાગે મારતા જગદીશભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા. આ જોઈને જગદીશભાઈનાં પિતા અને ભાઈ સમીર દોડી ગયા હતા. જેઓને પણ પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો.

બીજી તરફ કસ્તુરભાઇ ખૂબાજી માલી એ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ જુદી જુદી જગ્યાએ ચોળાફળીનો વેપાર કરે છે. બનાવની રાત્રે, જગદિશભાઇ, સમીર તેમજ અતુલભાઈ દેસાઈએ ચોળાફળી માંગી હતી. જો કે હાલમાં ચોળાફળી નથી તેવુ કસ્તુરભાઈએ કહેતાં જ જગદીશભાઇ એકદમ ઉશ્કેરાઇ ગાળો બોલી ગળદાપાટુથી માર મારવા લાગ્યા હતા. જેનું ઉપરાણું લઈ તેના ભાઇ સમીર અને પિતા અતુલભાઇ ગાળો બોલી ઝપાઝપી કરવા લાગેલા.

જેમને છોડાવવા માટે દીકરો આકાશ અને પુત્રવધૂ રેખાબેન વચ્ચે પડતાં સમીરે પાઈપ વડે હૂમલો કર્યો હતો. આ ઝઘડામાં કસ્તુરભાઈનાં ગળામાંથી સોનાની ચેઇન પડી ગઈ હતી. બાદમાં આસપાસના લોકો એકઠા થઈ જતાં મામલો શાંત પડ્યો હતો. આ અંગે સેકટર – 21 પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: