Thursday, March 9, 2023

સુરતના વરાછામાં ઓટલા પર બેસવા બાબતે ઝઘડો કરી માથાભારે તત્વોએ ચપ્પુ વડે રત્નકલાકાર પર હુમલો કર્યો | In Varachha, Surat, rowdy elements attacked a jeweler with a paddle after quarreling over sitting on an otla. | Times Of Ahmedabad

સુરત13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વરાછામાં ચાર અસામાજિક તત્વો દ્વારા નજીવી બાબતે ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કર્યો - Divya Bhaskar

વરાછામાં ચાર અસામાજિક તત્વો દ્વારા નજીવી બાબતે ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કર્યો

વરાછા ઘનશ્યામ નગર પાસે દુકાનના ઓટલા પર બેસવા બબાતે ચાર અસામાજિક તત્વોએ રત્નકલાકાર સાથે ઝઘડો કરો તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો. ચાર પૈકીના એક ઇસમેં પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી રત્નકલાકાર યુવકને પેટના ભાગે મારી દીધું હતું.અને હુમલો કરી ચારેય યુવકો ફરાર થઇ ગયા હતા. જયારે ઈજાગ્રસ્ત રત્નકલાકારને સારવાર અર્થે સ્મીમેરના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હુમલો કરનાર ચાર ઈસમો સામે ગુનો નોંધી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઘરના ઓટલા પર બેસવા બાબતે ઠપકો આપતા હુમલો કરાયો

મૂળ પાલીતાણા તાલુકાના લીલીવાવ ગામના વતની અને હાલમાં સુરતમાં વરાછા મારુતિ ચોક સ્થિત સંતોષી નગરમાં આવેલા હિરાના કારખાનામાં રહીને રત્નકલાકાર તરીકે કામ કરતા બુધાભાઈ બાબુભાઈ મકવાણા ગત 7 માર્ચના રોજ ઘનશ્યામ નગર ખાતે ફરવા ગયા હતા. આ દરમ્યાન તેઓ થાકી જતા ત્યાં રહેલી એક દુકાનના ઓટલા પર બેઠા હતા. તે વખતે તેઓની પાસે 4 અજાણ્યા ઈસમો આવ્યા હતા અને તું અહી કેમ બેઠો છે અહીથી નીકળ તેમ કહ્યું હતું. જેથી બુધાભાઈએ તમે મને કહેવા વાળા કોણ છો તેમ કહેતા ચારેય ઈસમોએ ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાયેલા ચાર પૈકીના એક ઇસમેં તેની પાસે રહેલું ચપ્પુ કાઢી બુધાભાઈને પેટમાં મારી દીધું હતું. જેથી તેઓને પેટમાંથી લોહી નીકળવા લાગતા ચારેય ઈસમો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

બીજી તરફ બુધાભાઈ ચાલતા ચાલતા મારુતિ ચોક પાસે પહોચ્યા હતા જ્યાં તેઓને ચક્કર આવતા તેઓ ત્યાં બેસી ગયા હતા. આ દરમ્યાન કોઈ રાહદારીએ ૧૦૮ને ફોન કરતા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે આવી હતી અને બુધાભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયી હતી.

વરાછા પોલીસે ચાર અજાણ્યાય સમો ગુનો નોંધ્યો

બુધાભાઈ ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ ઘટના અંગે વરાછા પોલીસને જાણ થઈ હતી. જેને લઇ વરાછા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બુધાભાઈ નું નિવેદન લીધું હતું. જેને આધારે વરાછા પોલીસે હુમલો કરનાર અજાણ્યા ચાર ઈસમો સામે ગુનો નોંધ્યો છે અને તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

રસ્તામાં ઊભા રાખી ચપ્પુ મારી દીધું

ભોગ બનનાર બુધાભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે હું કામ અર્થે વરાછાના લાભેશ્વર તરફ જઈ રહ્યો હતો દરમિયાન ચાર જેટલા અસામાજિક તત્વો આવીને મારી સાથે ઝઘડો કરવા માંડ્યા હતા. પાછળથી આવીને મારી સાથે ધક્કા મૂકી કરી હતી. અને મને અપ શબ્દો બોલવા માંડ્યા હતા. ત્યારબાદ હું બીજા રસ્તે થી આગળ નીકળી ગયો તો તેઓ મારી પૈસો કરીને મને રસ્તામાં ઉભો રાખી માર માર્યો હતો અને એક ઇસમે મારા પેટમાં ચપ્પુ માર્યું હતું. એ ચાર આ સામાજિક તત્વો કોણ છે તેને હું ઓળખતો નથી પરંતુ મારી સામે આવે તો હું જરૂરથી ઓળખી બતાવી શકું છું. આ અંગે મેં વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: