ગાંધીનગર19 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાંકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોય છે. ત્યારે જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને તા.25 માર્ચ-2023ને શનિવારે જાહેર રજાના દિવસે રાજ્યની તમામ 287 સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા નોંધણી નિરીક્ષકની કચેરી, ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
રાજ્યની તમામ 287 કચેરીઓમાં કામગીરી ચાલું રખાશે
25 માર્ચે મહિનાનો ચોથો શનિવાર હોય છે. ત્યારે સામાન્ય રીતે આ દિવસે રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી બંધ રાખવામાં આવે છે. જોકે આ નાણંકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધી જતી હોય છે. જેથી જાહેર જનતાના હિતને ધ્યાને રાખી ગાંધીનગર નોંધણી નિરીક્ષકની કચેરી દ્વારા રાજ્યની તમામ 287 સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલું રાખવાનો હુકમ કરાયો હતો.
આ કચેરીઓમાં કામગીરી ચાલું રહેશે
રાજ્યના અમદાવાદ જિલ્લાની અમદાવાદ-1(સીટી), અમદાવાદ-3(મેમનગર), અમદાવાદ-5(નારોલ), અમદાવાદ-7(ઓઢવ), અમદાવાદ-10(વેજલપુર), વિરમગામ અને બાવળા, સુરત જિલ્લાની સુરત-8(રાંદેર) અને બારડોલી, વડોદરા જિલ્લાની વડોદરા-1, દંતેશ્વર, વડોદરા-7 (છાણી) અને વાઘોડીયા, ભાવનગર જિલ્લાની ભાવનગર-2 (ચિત્રા), ભાવનગર-3 (રૂવા) અને મહુવા, બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને વડગામ, મોરબી જિલ્લાની હળવદ અને વાંકાનેર, દાહોદ જિલ્લાની દાહોદ, રાજકોટ જિલ્લાની રાજકોટ-1, રાજકોટ-6(મવડી), રાજકોટ-7(કોઠારીયા), રાજકોટ-8(રૂરલ), જસદણ અને જેતપુર, ગાંધીનગર જિલ્લાની માણસા, ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ, કચ્છ જિલ્લાની ગાંધીધામ અને મુન્દ્રા, જૂનાગઢ જિલ્લાની જૂનાગઢ, જુનાગઢ સીટી-તાલુકા, પોરબંદર જિલ્લાની પોરબંદર, સાબરકાંઠા જિલ્લાની હિમંતનગર અને વડાલી, બોટાદ જિલ્લાની ગઢડા, જામનગર જિલ્લાની જામનગર-3(પૂર્વ) તથા જામજોધપુર, પંચમહાલ જિલ્લાની હાલોલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતની કચેરીઓમાં કામગીરી ચાલુ રાખવામાં આવી છે.