જામનગર30 મિનિટ પહેલા
- કૉપી લિંક

જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં ધુળેટીની રાત્રીના તસ્કરો ત્રાટક્યાં હતા. બે કારખાનાઓને નિશાન બનાવી અંદરથી પિત્તળનો માલ સામાન, ઇલેક્ટ્રીકની સામગ્રી વગેરે સહિત રૂપિયા ત્રણેક લાખની માલમતાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. આ ઉપરાંત સીસીટીવી અને ડીવીઆર વગેરે પણ ઉતારી લઈ ગયાનું પોલીસમાં જાહેર કરાયું છે. આ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. આ ચોરીના બનાવની વિગત એવી છે કે, જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં ધુળેટીની રાત્રે તમામ કારખાનાઓ બંધ હોવાથી તે તકનો લાભ લઇ તસ્કર ટોળકી ત્રાટકી હતી, અને બે કારખાનાઓને નિશાન બનાવી લીધા હતા. તસ્કર ટોળકીએ સૌપ્રથમ કારખાનાઓમાં કેમેરા તથા ડી.વી.આર. ની ચોરી કરી લીધી હતી. જામનગરના નવાગામમાં રહેતા અને શંકર ટેકરી આદમભાઈ હારુનભાઈ ખીરાના ઉદ્યોગનગરમાં અમન બ્રાસ નામનું કારખાનું ચલાવતા કારખાનામાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું, અને રૂપિયા 47 હજારનો 100 કિલો પિત્તળનો ઠોલ, ઉપરાંત પિત્તળના વાયર તથા અન્ય સામાન વગેરે મળી રૂપિયા 2,46,500ની માલમત્તાની ચોરી કરી લઈ ગયા હતા.
આ ઉપરાંત બાજુમાં જ આવેલા જગદીશભાઈ દામજીભાઈ પટેલના શ્રી રાજ રોડ લિંક નામના કારખાના તથા તેના ટ્રાન્સપોર્ટના ગોડાઉનને પણ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને તેમાંથી પાણીની ઇલેક્ટ્રિક મોટર, પીતળના માલ સામાનના જુદા જુદા 34 કાર્ટુન, ઉપરાંત ઉપરાંત સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને કેમેરા વગેરે સહિત રૂપિયા 61,320 ની માલમતાની ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીના બનાવ અંગેની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસમાં નોંધાવતાં પોલીસ કાફ્લો દોડતો થયો હતો, અને તસ્કરોને શોધવા માટે અન્ય કારખાનાઓના સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી રહી છે.