- Gujarati News
- Local
- Gujarat
- Junagadh
- After The Public Interest Petition Of An Aware Citizen, The Court Said Manpa And Forest Department Should Conduct A Joint Investigation And Submit A Report
જુનાગઢ43 મિનિટ પહેલા
જૂનાગઢનો ગિરનાર પર્વત લાખો શ્રદ્ધાળુઓનો આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ ત્યાં ગંદકીના ગંજ ખડકાઈ ગયા હતા. ત્યારે પ્રવાસીઓની સુવિધાઓના અભાવ બાબતે વારંવાર રજૂઆત કરતા મનપા તંત્ર, વન વિભાગની જવાબદારી હોવાનું કહેતું હતું. જ્યારે વનવિભાગ દ્વારા કલેકટરની જવાબદારી હોવાની કહી એક બીજાને ખો આપવામાં આવતી હતી. જૂનાગઢ તંત્ર દ્વારા આંખ મિચામણા કરતા હોય તેવું લાગતા હાઈકોર્ટના વકીલ અમીત પંચાલે હાઇકોર્ટમાં ગિરનારમાં ગંદકી બાબતે પીઆઈએલ દાખલ કરી હતી. જેથી હાઇકોર્ટે જૂનાગઢ મનપા તંત્ર, વહીવટી તંત્ર, વન વિભાગને તપાસના આદેશો આપ્યા હતા. જેથી તંત્ર દોડતું થયું હતું.

ગંદકી બાબતે જાગૃત નાગરિકે પીઆઈએલ કરી
અધિક કલેક્ટર ભૂમિબેન કેશવાલા, વન વિભાગ અને મહાનગરપાલિકા તંત્રને સાથે રાખી ગિરનાર પર્વત વિસ્તારનું જાત નિરીક્ષણ કર્યું હતું. જે બાબતે જૂનાગઢ અધિક કલેક્ટર ભૂમિબેન કેશવાલાએ જણાવ્યું હતું કે, ગિરનાર પરિસર અને આજુબાજુના વિસ્તારમાં ગંદકી બાબતે જાગૃત નાગરિક દ્વારા હાઇકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી હતી. જેને લઇ હાઇકોર્ટ દ્વારા તપાસના આદેશ અપાતા પીઆઇએલને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ તપાસ સમિતિમાં, અધિક કલેકટર ,ડીસીએફ, ડેપ્યુટી કમિશનર, મળી કુલ 7 સભ્યો છે. ગિરનાર પર્વત અને આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છતાને લઇ અને સુવિધાઓને લઈ કયા પ્રકારના પગલાં લઈ શકાય અને ભવિષ્યમાં આવનાર પ્રવાસીઓની સુવિધા માટે શું કરી શકાય તેના માટે સમિતિ બનાવવામાં આવી છે.

સમિતિએ જાત નિરીક્ષણ કર્યું
આજે ગિરનાર પર્વત પર આ સમિતિ દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમિતિ દ્વારા એન્ટ્રી પોઇન્ટ રોપવે વિસ્તાર, અને મંદિર પરિસરની આજુબાજુના વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટ દ્વારા જે તપાસના આદેશો અપાયા છે તેને ધ્યાને લઇ તંત્રને એફીડેવિટ પણ રજૂ કરવાનું હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. ગંદકી બાબતે અધિક કલેક્ટર ભૂમિબેન કેશવાલાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, પહેલા કરતા હાલમાં ગિરનાર પર્વત પર ગંદકી ઓછી છે અને આવનાર સમયમાં 100% ટકા સ્વચ્છતા પ્રવાસીઓ માટે ઉભી કરાશે.

ધારાસભ્યએ પણ તંત્રને આડેહાથ લીધું હતું
દિવ્ય ભાસ્કરે થોડા સમય પહેલા ગીરનાર પર્વતની ગંદકી બાબતે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાને વાસ્તવિકતા પૂછતા તેમણે ગિરનાર પર્વત પર ગંદકી બાબતે જણાવ્યું હતું કે, ખૂબ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે અને પર્વત પર ખૂબ મોટા પ્રમાણમાં દબાણો થઈ રહ્યા છે તંત્રની બેદરકારીને લીધે આવનાર ટુરિસ્ટ ગિરનારની ખરાબ છાપ લઈને જાય છે. ઘણી વખત રજૂઆત કરતા છતાં પણ તંત્ર દ્વારા આંખ ખાડા કાન કરી અને ભ્રષ્ટનીતિ કામ કરી રહી છે.

એકબીજાને ખો આપતા પીઆઈએલ કરવી પડીઃ એડવોકેટ
ગિરનારમાં ગંદકી બાબતે પીઆઈએલ કરનાર એડવોકેટ અમિત પંચાલ સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગિરનાર પર્વત પર ગંદકી અને અસુવિધાઓ બાબતે જ્યારે પણ તંત્રને પૂછવામાં આવતું હતું ત્યારે તંત્ર એકબીજાને ખો આપતા હતા અને મહાનગરપાલિકાને પૂછતા તેઓ વન વિભાગનું કહેતા અને વન વિભાગને પૂછતા તે બીજા વિભાગો પર જવાબદારી સોંપવાની વાત કરતા હતા. જેને લઈ પીઆઈએલ દાખલ કરવાની ફરજ પડી છે અને હાઇકોર્ટ દ્વારા જોઈન્ટ રિપોર્ટ માંગવામાં આવ્યો છે.