Tuesday, March 14, 2023

કલ્યાણનગરમાં જુગાર રમતા 3 ઝડપાયા, મહિલા ભાડૂઆતે મકાન માલિકને માર માર્યો | Three caught gambling in Kalyannagar of the city | Times Of Ahmedabad

વડોદરા10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
જુગાર રમતા અને રમાડતા ત્રણની ધરપકડ - Divya Bhaskar

જુગાર રમતા અને રમાડતા ત્રણની ધરપકડ

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં કલ્યાણનગર કામનાથ મંદિરમાં જવાના રસ્તા ઉપર જુગાર રમતા અને જુગાર રમાડી રહેલા મોહમ્મદ મુફીસખાન જમીનખાન (રહે. કલ્યાણનગર), ઉદયનારાયણ રામભરોસે અગ્રવાલ (રહે. વુડાના મકાનમાં, તરસાલી) અને કઇમ ઉર્ફ ચુન્ના મુન્નાલી સૈયદ (રહે. કલ્યાણનગર)ને રૂપિયા 5 હજારના મુદ્દામાલ સાથે સયાજીગંજ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણેય આંકડાનો જુગાર રમતા હતા અને રમાડતા હતા. પોલીસે માહિતીના આધારે દરોડો પાડી 3 જુગારીયાઓની ધરપકડ કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

વડોદરામાં મહિલા ભાડૂઆતની દાદાગીરી
વડોદરા શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ ઉપર 16/153 મારુતિધામ સોસાયટીમાં પ્રફૂલબહેન મિનેશભાઇ પઢારીયા (ઉં.65) પરિવાર સાથે રહે છે. તેઓએ 6 માસ પહેલાં પોતાનું ડી-102 બીલાબોન્ગ સ્કૂલની પાછળ સમન્વય સ્પર્સ ફેલ્ટમાં પહેલાં માળે આવેલું મકાન પ્રતિમાસ રૂપિયા 8 હજારના ભાડે રચનાબહેન રવિન્દ્રનાથ પુરોહિતને આપ્યું હતું. તેઓ બે માસથી ભાડુ કે, ડિપોઝિટ આપતા ન હોવાથી મકાન માલિક પ્રફૂલાબહેન મકાન ખાલી કરવા માટે જણાવ્યું હતું. અને પોતાના વકીલ દ્વારા નોટિસ આપી હતી. આમ છતાં, તેઓ મકાન ખાલી કરતા ન હતી. પ્રફૂલાબહેન ભાડૂઆત રચનાબહેન પુરોહિતના ઘરે મકાન ખાલી કરવા માટે કહેવા જતાં, તેઓએ માર માર્યો હતો. આ અંગે મહિલા મકાન માલિકે મહિલા ભાડૂઆત સામે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તસ્કરો તિજોરી સાફ કરી ગયા
વડોદરા શહેરના માંજલપુર બી/403, રૂતુપલ ફ્લેટમાં રહેતા સુખબીરસીંગ સંપૂર્ણસીંગ મનહાસ. તેઓ તા. 12 માર્ચના રોજ બપોરના સમયે કામવાળા શારદાબહેનને લઇ સાસુના મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ ઉપર બી-37 વસંતવિહાર સોસાયટીના મકાનમાં સફાઇ કરવા માટે ગયા હતા. દરમિયાન બીજા દિવસે સાસુએ જમાઇને ફોન કરીને જણાવ્યું કે, આપણા ઘરમાં ચોરી થઇ છે. કોઇ અજાણ્યા શખ્સો દરવાજાનું તાળું તૂટેલું છે.

સાસુનો ફોન આવતા જ જમાઇ સુખબીરસીંગ પત્નીને લઇ સાસુના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં તેઓએ તૂટેલું તાળું જોતા ચોંકી ઉઠ્યા હતા. અને ઘરમાં જઈ વધુ તપાસ કરતા તિજોરીનો સામાન વેરવિખર જોવા મળ્યો હતો. તસ્કરો સોના-ચાંદીના દાગીના રોકડ રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 1,45,000નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. દરમિયાન આ બનાવ અંગે સુખબીરસીંગ મનહાસે માંજલપુર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવે સોસાયટીમાં ચકચાર જગાવી મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: