Tuesday, March 14, 2023

અંબાજી મંદિરના પ્રસાદ વિવાદનો આવ્યો સુખદ અંત, પાવાગઢ મંદિર ટ્રસ્ટે લીધો મોટો નિર્ણય; 36 સેકન્ડમાં 9 લાફાના સીસીટીવી | Ambaji temple prasad controversy has a happy ending, Pavagadh temple trust has taken a big decision, CCTV of 9 lafa in 36 seconds. See seven news | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ambaji Temple Prasad Controversy Has A Happy Ending, Pavagadh Temple Trust Has Taken A Big Decision, CCTV Of 9 Lafa In 36 Seconds. See Seven News

એક કલાક પહેલા

આજથી ધોરણ 10 અને 12ની એક્ઝામ

રાજ્યમાં આજથી GSEBની પરીક્ષા 33 જિલ્લાનાં 958 પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાઈ રહી છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10 વાગ્યે શરૂ થઈ છે અને પ્રથમ ભાષાનું પેપર છે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા બપોરે 3 વાગ્યે શરૂ થશે અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં નામાનાં મૂળ તત્ત્વોનું પેપર છે. ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ છે. રાજ્યભરમાંથી કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં લગભગ 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

અંબાજી મંદિરમાં પ્રસાદ વિવાદનો અંત

આજે અંબાજી મોહનથાળ પ્રસાદને મુદ્દે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઋષિકેશ પટેલ, અંબાજી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો સહિત મંદિર પ્રસાદી સાથે જોડાયેલા સભ્યો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે હવેથી અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરુ કરવામાં આવશે.ભક્તોને હવે પ્રસાદમાં ચીકી અને મોહનથાળ બંને આપવામાં આવશે..

પાવાગઢમાં છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ

અંબાજી મંદિરના પ્રસાદ વિવાદનો માંડ અંત આવ્યો છે ત્યાં પાવાગઢ મંદિર ટ્રસ્ટ તરફથી એક નિર્ણય કરાયો છે ,જેને લઈને ભક્તો અને વેપારીઓ રોષે ભરાયા છે.ભક્તો પહેલાં છોલેલું શ્રીફળ મંદિરમાં લઈ જઈ માતાજીને ચઢાવતા હતા તે હવે બંધ કરવામાં આવશે. છોલેલું શ્રીફળ મંદિરમાં લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જો કોઈ વેપારીઓ છોલેલું શ્રીફળ વેચશે તો તેઓને દંડ ચૂકવવો પડશે. ભક્તો માતાજીને આખું શ્રીફળ જ ધરાવી શકશે અને તે આખું શ્રીફળ માતાજીને ધરાવી ઘરે લઇ જઇ શકાશે. સ્વચ્છતાને લઇ પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વડોદરામાં H1N1થી મહિલાના મોતની આશંકા

પુનઃ એકવાર કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. વડોદરામાં પણ છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓનો રાફડો ફાટ્યો છે. તેવામાં વડોદરામાં H3N2થી વાઇરસથી 58 વર્ષીય મહિલાનું સયાજી હોસ્પિટલના કોવિડ આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. H3N2થી ગુજરાતમાં બીજું અને દેશમાં ત્રીજું મોત થયું હોવાનું મનાય છે. જોકે, વડોદરાની આ મહિલાનું ખરેખર H3N2થી મોત થયું છે કે કેમ? તે જાણવા તેનાં બ્લડ સેમ્પલો ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યાં છે.સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં 58 વર્ષીય મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જેઓનું મોત નીપજ્યું છે. તેઓ હાઇપર ટેન્શનનો ભોગ બન્યાં હતાં. રેપિડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ધંધાકીય હરીફાઈનો ખાર રાખી ગાલ પર સટાસટી બોલાવી

કોઈપણ ધંધા કે બીઝનેસમાં હરીફાઈ જોવા મળતી હોય છે. જ્યાં લોકો પોતાના હરીફ કરતાં વધુ સારું વેચાણ કરી નફો કમાવવા અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે ક્યારેક આ તરકીબોના કારણે તેમના હરીફોને થતું નુકશાન મોટી મુશ્કેલી ઉભી કરે છે. ત્યારે આવોજ એક કિસ્સો અંકલેશ્વરમાંથી પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક વેપારીને અન્ય વેપારીએ ફક્ત ધંધામાં હરીફાઈ કરવાના કારણે ઢોર માર માર્યો. અને આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.અંકલેશ્વરમાં ચૌટાનાકા વિસ્તારમાં સ્ટેટ બેંકની સામેની સાઈડમાં આવેલી સોડાની દુકાન ચલાવતા શખ્સ ઉપર તેના અન્ય હરીફ ધંધાદારી ઇસમે તેની દુકાનમાં ઘૂસી આવીને માર મારી દુકાનમાં નુકશાની કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની સમગ્ર ઘટના દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે દુકાનદારે અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાપીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

વલસાડ જિલ્લાના વાપીમાં ભીષણ આગ લાગી હતી. ડુંગરા વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને પેપર તેમજ કેમિકલ વેસ્ટ હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. જેથી આજુબાજુનાં અન્ય 10 ગોડાઉન પણ આગની ઝપેટમાં આવ્યાં છે. ભીષણ આગને પગલે વાપી ફાયર બ્રિગેડે મેજર ફાયર કોલ જાહેર કરતા વલસાડ જિલ્લાના તમામ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચવા માટે દોડતી થઈ હતી. હાલ 10 જેટલાં ફાયર ફાઈટરો આગ ઉપર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. જોકે, આ આગમાં કેટલું નુકસાન થયું છે તેમજ કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી આવ્યા નથી.

ચાલુ વાહને જ લૂંટને અંજામ આપ્યો
જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટીંગ યાર્ડ પાસે આજે બપોરના સમયે ભૌતિક રામોલિયા નામના વેપારી બેંકમાંથી 20 લાખ રૂપિયા ઉપાડી માર્કેટીંગ યાર્ડ જઈ રહ્યા હતા. ત્યારે જ પાછળથી આવેલા બે બાઈકસવારોએ ભૌતિક રામોલિયા પાસે રહેલો 20 લાખ રૂપિયા ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. વેપારી કંઈ સમજે તે પહેલા જ બંને લૂંટારુઓ પૂરઝડપે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.જામજોધપુર માર્કેટીંગ યાર્ડ નજીક બનેલી દિલધડકની લૂંટનો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો. જેમાં ભોગ બનનાર વેપારી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે જ પાછળ પીછો કરી રહેલા બે લૂંટારુ તેની બાઈકની બાજુમાં આવી પહોંચે છે અને વેપારી કંઈ સમજે તે પહેલા જ તેની પાસે રહેલા થેલાની લૂંટ કરી ફરાર થઈ જાય છે. વેપારી પીછો કરવાનો પ્રયાસ કરે છે પરંતુ, લૂંટારુઓ ગણતરીની સેકન્ડોમાં જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: