Monday, March 13, 2023

નવસારીમાં કાલથી 38 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા, જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું | More than 38 thousand students will give the board exam in Navsari from tomorrow, the district administration got ready | Times Of Ahmedabad

નવસારીએક કલાક પહેલા

નવસારી સહિત રાજ્યમાં14 માર્ચથી ગુજરાત રાજય શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં વહીવટી તંત્રએ દરેક છાત્રોને ડર વીના અને પરીક્ષાનો હાઉ વગર શાંત મને પરીક્ષા આપવા શુભેચ્છા પાઠવી છે. નવસારીમાં આ વખતે પેપર સ્ટ્રોંગરૂમ બાબતે વધુ સક્રિય બન્યા છે અને બારી પણ બંધ રહે તે માટે બોર્ડની માર્ગદર્શિકા મુજબ પરીક્ષાલક્ષી કામગીરી હાથ ધરાશે.

અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે તંત્ર સક્રિય
આ વખતે ધો.-10નાં 20,740 વિદ્યાર્થીઓ બોર્ડની પ્રથમવાર પરીક્ષા આપશે, જ્યારે ધો. 12માં સામાન્ય અને સાયન્સ પ્રવાહમાં 11,772 અને સાયન્સના 5622 મળી કુલ 38,134 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. દરેક બિલ્ડીંગોમાં સીસીટીવી હોય કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે તંત્ર સક્રિય બન્યું છે. કોઈપણ માહિતી કે મૂંઝવણ માટે પરીક્ષાસાથી હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે તેવું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.

નવસારી જિલ્લામાં આવતીકાલ 14મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો આરંભ થનાર છે ત્યારે નવસારી જિલ્લામાં પણ ધોરણ 10માં સવારે પ્રથમ ભાષા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી સહિત પ્રથમ ભાષાથી પરીક્ષાની શરૂઆત થશે, જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમા બપોર બાદ એકાઉન્ટ અને વિજ્ઞાન પ્રવાહમા ભૌતિક વિજ્ઞાનના પેપરની પરીક્ષા લેવાશે.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએથી મળતી માહિતી મુજબ નવસારી જિલ્લામાં ધોરણ-10માં 704 બ્લોકમાં 20,740 વિદ્યાર્થી પરીક્ષા આપશે, જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 552 બ્લોકમાં 11,712 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 282 બ્લોકમાં 5622 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
​​​​​​​વિષયોના નિષ્ણાંતોને હેલ્પલાઇન દ્વારા 130થી વધુ કોલ આવ્યાં
કોરોનાના બે વર્ષ બાદ પ્રથમ વખત ધોરણ-10 અને 12ના છાત્રો બોર્ડની પરીક્ષા આપનાર હોય વહીવટી તંત્ર પણ છાત્રોને કોઈ અગવડ પડે નહીં તે માટે યોગ્ય તૈયારી કરી લીધી છે. નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા સાથી અભિયાનમાં ધો-10 અને 12 ના અલગ-અલગ વિષયોના નિષ્ણાંતોને હેલ્પલાઇન દ્વારા 130થી વધુ કોલ આવ્યાં હતા. જેમાં ગણિત, વિજ્ઞાન અને ફિઝિક્સ વિષયના વધુ કોલ આવ્યા હતા.
​​​​​​​સીસીટીવી સાથે રેકોર્ડિંગની વ્યવસ્થા
એસ.એસ.સી. પરીક્ષાના 6 કેન્દ્રોના કુલ 61 બિલ્ડીંગ પર, એચ.એસ.સી. (સા.પ્ર.)પરીક્ષાના 17 કેન્દ્રના કુલ 34 બિલ્ડીંગ પૈકી તમામ બિલ્ડીંગ પર તેમજ વિજ્ઞાન પ્રવાહના4 કેન્દ્રના કુલ19 બિલ્ડીંગ પૈકી તમામ બિલ્ડીંગ પ૨ સીસીટીવી રકોર્ડિંગ સાથેની વ્યવસ્થા કરાઇ છે.
સીડી એકત્ર કરી ચકાસણી કરાશે
​​​​​​​
નવસારીના તમામ કેન્દ્ર પર સીસીટીવીની વ્યવસ્થા હોય સ્થાનિક સ્કોવોડને પરીક્ષા કેન્દ્ર પર જવા માટે મનાઇ ફરમાવાઇ છે. સીસીટીવી કેમેરાના ફૂટેજ જોવા જિલ્લા કક્ષાએ સીડી વ્યુઈંગ ટીમની રચના કરવામાં આવશે, જે રોજેરોજની સિડી એકત્ર કરી ચકાસણી કરશે અને ગેરરીતિ જણાય તો બોર્ડને રિપોર્ટ કરશે.જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ્રી ટંડેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપી ડર વિના પરીક્ષા આપવા અપીલ કરી છે. પોલીસ તંત્ર ખડે પગે બંદોબસ્તમાં તહેનાત જ રહેશે સાથે જ વીજ કંપનીને પણ પરીક્ષા કેન્દ્રો પણ વીજનો પુરવઠો ન ખવાય તેવી વ્યવસ્થા કરવા આદેશ કરાયો છે બસની સુવિધા પણ પરીક્ષા કેન્દ્ર પર ઉપલબ્ધ રહેશે આમ વિદ્યાર્થીઓ કોઈ પણ વિઘ્ન અને મુશ્કેલી વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર એ કમરકસી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: