- Gujarati News
- Local
- Gujarat
- Valsad
- In The Cow Ashram At Umargam’s Punat, The Work Learned During The Corona Period Brought Color, Made Things Including Clocks, Ganesha Idols From Cow Dung And Cow Urine.
વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પુનાટ ખાતે આવેલી એક ગૌ શાળામાં ગૌ વંશના છાણ અને મૂત્રમાંથી લોકોના ઘરગતું ઉપયોગમાં લેવાય તેવી વસ્તુઓ બનાવવાની કાર્યશાળા શરૂ કરવામાં આવી હતી. આ કાર્યશાળા કોરોના મહામારી પહેલા શરૂ કરવામાં આવી હતી. લોકડાઉનના સમય દરમ્યાન લોકો મોટી સંખ્યામાં કાર્યશાળામાં અલગ અલગ ઉપયોગી વસ્તુઓ બનાવવા શીખવા આવ્યા હતા. જેને કેટલાક લોકોએ આજીવિકાનું સાધન બનાવી આત્મનિર્ભર બની રહ્યા છે. આજે પણ ગૌ વંશના છાણ અને ગૌ મૂત્રના ઉપયોગ વડે રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવી વેચાણ કરીને આજીવિકા મેળવી રહ્યા છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પુનાટ ખાતે આવેલી વચ્છરાજ ગૌશાળામાં કોરોના કાળમાં ગોયોના છાણ (ગોબર) અને ગૌમૂત્રથીમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો હતો. ગૌ શાળામાં આવતા લોકોને પ્રવૃત્તિ મળી રહે તેવા ઉમદા હેતુથી છાણ અને ગૌ મૂત્રની મદદ વડે અલગ અલગ લોક ઉપયોગી વસ્તુઓ બનાવવાની કાર્યશાળા શરૂ કરવામાં આવી હતી. કાર્યશાળા માટે ગૌશાળાના કેટલાક માણસોને ચેન્નઇમાં ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. પરંતુ કોરોના સમયે શરૂ કરેલી પ્રવૃતિ આજે રંગ લાવી રહી છે. કારણ કે હાલ ગૌશાળામાં છાણ-ગૌમૂત્રથી ઘડિયાળ, ગણેશ મૂર્તિઓ સહિતની ચીજવસ્તુઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ રકમનો ઉપયોગ પણ માત્રને માત્ર ગૌ શાળાની ગાયોના નિભાવ માટે કરવામાં આવી રહ્યો છે. ગૌ શાળામાં 110 ગાયોની સેવા કરવામાં આવી રહી છે. સંસ્થાના અખંડાનંદ સરસ્વતી મહારાજે દિવ્ય ભાસ્કર સાથેની વાત-ચીતમાં જણાવ્યું હતું કે 2015થી વાપી ચલા રેફરલ હોસ્પિટલમાં બંને ટાઇમ દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ છે. સમુહ લગ્ન, વિદ્યાદાન, વસ્ત્રદાન, સંત ભોજન, હોસ્પિટલમાં ટિફિન સેવા સહિતની સેવાકીય પ્રવૃતિ અખંડાનંદ આશ્રમમાં ચાલી રહી છે.

ગૌશાળામાં કઇ કઇ વસ્તુઓ બને છે કેવી રીતે બનાવામાં આવે છે
ગૌશાળામાં ગાયના ગોરબ અને ગૌમૂત્રથી અનેક પ્રોડકટ બનાવામાં આવી રહી છે. આ માટે ગૌશાળામાં વિવિધ મશીનો અને અનુભવી માણસો કામ કરી રહ્યાં છે. જેમાં મોબાઇલ સ્ટેન્ડ,આરતીની થાળી, ઘડિયાળ નાની -મોટી,ગાય, વોલપીશ,બે જાતના તોરણ, તોડલિયા, શુભ-લાભ, સ્વસ્તિક, ઓમકાર, લક્ષ્મીના પગલા, કારમાં રખાઇ એવી ગણેશળની મૂર્તિ, ગોબરમાંથી માળા, લાદી, હવન ટિકીયા, ગોબરના ગુગળ ધુપ, શરીરી માટે વપરાતી ચીજવસ્તુઓે બનાવામાં આવે છે.




