Friday, March 10, 2023

ભરૂચમાં બસ સંચાલકે ધંધા માટે 4 લાખ વ્યાજે લીધા બાદ 6 લાખથી વધુ ચુકવ્યાં છતા વ્યાજખોરે વધુ રૂપિયાની માગ કરી ધમકીઓ આપી | A bus operator in Bharuch paid more than Rs 6 lakh after borrowing Rs 4 lakh for business, but the usurer threatened to demand more rupees. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • A Bus Operator In Bharuch Paid More Than Rs 6 Lakh After Borrowing Rs 4 Lakh For Business, But The Usurer Threatened To Demand More Rupees.

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલકે લીધેલા રૂપિયા 4 લાખને બદલે 6 લાખથી વધુ રૂપિયા વસૂલ્યા બાદ પણ વ્યાજખોરે વધુ રૂપિયાની માંગ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ભરૂચના તુલસીધામ વિસ્તારમાં આવેલી ઇન્દ્રપૂરી સોસાયટીમાં રહેતા ધવલ ચીમન પટેલ દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શિલ્પી સ્ક્વેર ખાતે ઓફીસ ધરાવી ટ્રાવેલ્સનો ધંધો કરે છે જેઓએ વર્ષ-2019માં ધંધા માટે ભરૂચની નીલકંઠ નગર સોસાયટીમાં રહેતો અંકિત રમેશચંદ્ર મોદી પાસે 10 ટકા વ્યાજે અલગ અલગ રીતે 4 લાખ રૂપિયા લીધા હતા અને બે કોરા ચેક તેમજ સિક્યુરીટી પેટે ફોર વ્હીલ ગાડીની આર.સી.બુક આપી હતી. જે બાદ ટ્રાવેલ્સ સંચાલકે 4 લાખના બદલે 6.05 લાખ આપ્યા હોવા છતાં વ્યાજખોરે હજી પણ 4 લાખ માંગી ટ્રાવેલ્સ સંચાલકની ઈનોવા ગાડી લઇ લીધી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવાને વ્યાજખોર સામે નાણા ધીરધારનું લાયસન્સ નહી હોવા છતાં બળજબરી કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: