રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક

વેરા વસુલાત શાખા દ્વારા 12 મિલ્કત સીલ
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા આજે વધુ 12 મિલ્કતને સીલ મારી બે નળ કનેકશન કાપવામાં આવ્યા હતા. ટેકસ વિભાગના જણાવ્યા મુજબ આજે વોર્ડ નં.2માં નુતન પ્રેસ રોડ પર નળ કાપતા રૂા. 99 હજારની રીકવરી થઇ હતી. સર્કિટ હાઉસ રોડ પર છ મિલ્કત, ચુડાસમા પ્લોટમાં ત્રણ અને સુભાષનગરમાં બે જપ્તી નોટીસ અપાઇ હતી.
4 નોટીસ અપાતા રીકવરી થઇ
રેસકોર્ષ રોડ પર એક મિલ્કતને સીલની કાર્યવાહી કરાતા આવક થઇ હતી. વોર્ડ નં.3ના 150 ફુટ રોડ પર બે, વોર્ડ નં.4ના મોરબી રોડ પર ચાર નોટીસ અપાતા રીકવરી થઇ હતી. વોર્ડ નં.5માં કુવાડવા રોડ પર નળ કનેકશન કપાતા રૂા. 40 હજારનો ચેક આવ્યો હતો.

વેરા વસુલાત શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી
સીલની કાર્યવાહી કરાતા ચેક આવ્યા
વોર્ડ નં.6ના પેડક રોડ, વોર્ડ નં.5ના કુવાડવા રોડ, વોર્ડ નં.7ના જનસતા પ્રેસ રોડ, વોર્ડ નં.9ના યુનિ. રોડ પર નોટીસો અપાઇ હતી. વોર્ડ નં.10ના કાલાવડ રોડ, વિમલનગરમાં નોટીસ અને સીલની કાર્યવાહી કરાતા ચેક આવ્યા હતા. વોર્ડ નં.12ના મવડી, વોર્ડ નં.13ના ચામુંડાનગર, વોર્ડ નં.14ના વાણીયાવાડી, ગાયત્રીનગર, વોર્ડ નં.15ના કોઠારીયા બાયપાસ, વોર્ડ નં.16ના પટેલ નગર, વોર્ડ નં.18ના ઢેબર રોડ પર સીલ અને નોટીસની કાર્યવાહી કરાતા બપોર સુધીમાં 57.83 લાખની આવક થઇ હતી.
શ્રી શ્રી રવિશંકર મહારાજ રાજકોટમાં
રાજકોટમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજ આજે ચાર્ટડ પ્લેનમાં પધાર્યા હતા.આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહેલા કાર્યક્રમો અંતર્ગત કાલે 11મી માર્ચના રોજ આર્ટ ઓફ લિવિંગ રાજકોટ ચેપ્ટર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના સાનિધ્યમાં વિજ્ઞાન ભૈરવનુ આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાન ભૈરવમાં ઉપસ્થિત રહેનાર લોકો માટે પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સવારે 10:30 થી 1 અને બપોરે 4 થી 6:30 વાગે એમ બે સેશનમાં યોજાશે.

વિવિધ વિભાગોમાં આવેલી RTIની અરજીઓની સુનાવણી કરવામાં આવી
માહિતી કમિશનરની અધ્યક્ષતામાં 23 કેસની સુનાવણી
રાજકોટ આજે કલેક્ટર કચેરી ખાતે જાહેર માહિતી કમિશનર સુભાષ સોનીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોમાં આવેલી RTIની અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી. જેમાં 17 અરજદારોના 23 કેસોની સુનાવણી કરવામાં આવી હતી. અરજી હેઠળ શિક્ષણ, માર્ગ અને મકાન, આર.એમ.સી.,પોલીસ, સેલ ટેકસ સહિતના વિભાગીય જાહેર માહિતી અધિકારીઓ તથા અપીલ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. માહિતી કમિશનરે દરેક વિભાગના જાહેર માહિતી અધિકારીને આર.ટી.આઇ. કલમની ઝીણવટભરી અને તલસ્પર્શી વિગતોનો અભ્યાસ કરી સંબંધિત કેસો અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. અને સરકારી વિભાગમાં આવેલી કાોઇ પણ અરજીનો નિયત સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરી નિકાલ કરવા જણાવ્યું હતું