વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક

વલ્લભકુળ ભૂષણ વૈષણવાચાર્ય વ્રજરાજકુમારજીના મંગલ સાનિધ્યમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે શ્રી ઠાકોરજી સુખાર્થે હોળી-ડોલોત્સવ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં મંગળવારે સવારે 6.30 કલાકે વ્રજરાજકુમારજી દ્વારા હોલિકા પ્રજવલન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવોએ પણ તેમની સાથે હોલિકા પૂજનનો લાભ લીધો હતો. આજે સવારે 10 કલાકથી ડોલોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો હતો. શ્રી ઠાકોરજીને સુંદર કલાત્મક ફૂલોથી સજાવેલી ડોલમાં બિરાજમાન કરીને વ્રજરાજકુમારજી દ્વારા ચોખા, ચંદન, અબિલ, ગુલાલથી તથા વિવિધ રંગોથી ખેલાવવામાં આવ્યા હતા

વ્રજરાજકુમારજી દ્વારા વૈષ્ણવોને પણ રંગોથી અને કેસુડાના જળથી ખુબ ખેલાવવામાં આવ્યા હતા. વૈષ્ણવોએ રંગોની છોળોની સાથે સાથે, ઢોલ, ડફ તથા રસિયાના તાલ સાથે નૃત્ય કરતા, હોળી ખેલના ઉત્સવનો અદભુત આનંદ લીધો હતો. શ્રી પ્રભુના આ અલૌકિક દર્શન નો તેમજ હોળી ખેલનો 5000 વૈષ્ણવોએ ખુબ આનંદથી તેમજ હર્ષોલ્લાસથી અનેરો લાભ પ્રાપ્ત કર્યો હતો.
વૈષ્ણવોએ વ્રજરાજકુમારજીને પણ ખેલાવાનો તથા આશિર્વાદનો લાભ પ્રાપ્ત થયો. ખૂબ જોર શોર અને હર્ષોલ્લાસથી વ્રજધામ મંદિરમાં હોળી ડોલોત્સવનો આ પર્વ ઉજવાયો હતો.