પાટણ3 કલાક પહેલા
- કૉપી લિંક

ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે કામદારોના કલ્યાણ માટે ઈ-શ્રમ પોર્ટલ નામનું પોર્ટલ 2021ની સાલ માં શરૂ કર્યું હતું.જેમાં ઉમેદવારો ઇ-શ્રમ માટે નોંધણી કરાવે છે તેમને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UAN) કાર્ડ આપવામાં આવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોમાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે અને NDUW ડેટાબેઝનો ઉપયોગ નવી નીતિઓ શરૂ કરવા, ભવિષ્યમાં વધુ નોકરીઓ બનાવવા અને કામદારો માટે નવી યોજનાઓ શરૂ કરવા માટે કરવામાં આવશે. જેને લઈ પાટણ જિલ્લા ઇ શ્રમ વિભાગ દવરા પક્રિયા ચાલી રહી છે જેમાં અસંગઠિત શ્રમિકો જેવા કે, બાંધકામ ક્ષેત્ર, ખેતી, મનરેગા, માછીમારી, આશા વર્કર બહેનો, આંગણવાડી, ફેરિયાઓ, ઘરેલુ કામદાર, રિક્ષા ડ્રાઈવર, દૂધ મંડળીના સભ્યો અને આવા અન્ય અસંગઠિત ક્ષેત્રે કામ કરતાં શ્રમિકોજેની ઉમર 16-60 વર્ષની વચ્ચે હોવી જોઈએ અથવા તો તેઓ EPFO/ESIC ના સભ્ય ન હોય અને આવક વેરો ચૂકવતા ન હોવા તેવા લોકો આ ઇશ્રમ કાંડ કઢાવી શકે છે.ઇ શ્રમ કાંડમાં આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂ. 2 લાખ ની સહાય આપવા માં આવે છે તો આંશિક અપંગતતા ના કિસ્સામાં એક વર્ષ માટે રૂ. 1 લાખ ની સહાય આપવામાં આવે છે.
ભારત સરકાર ના શ્રમ અને રોજગાર વિભાગ દવરા અત્યારે પુર જોશ માં ઇ શ્રમ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ઉત્તર ગુજરાત ની વાત કરીએ તો પાટણ જિલ્લા અત્યાર સુધી 3,75,864 લક્ષાક સામે 1,90,840 જેટલા ઇશ્રમ કાંડ રિજિસ્ટેશન થયા છે તો મહેસાણા જિલ્લા 5,59,432 લક્ષાક સામે 2,43,677 ઇશ્રમ કાંડ રજિસ્ટ્રેશન થયા છે તો બનાસકાંઠા જિલ્લા માં 8,71,608 લક્ષાક સામે 4,04,204 ઇશ્રમ કાંડ રજિસ્ટ્રેશન થયા છે. હાલ માં પાટણ જિલ્લા ઇ શ્રમ કાંડ કાઢવા માટે ઠેરઠેર કેમ્પ કરી શ્રમિકોને આ યોજના માં આવરી લેવા માં આવી રહ્યા છે.

છેલ્લા જાન્યુઆરી થી આજ દિન સુધી માં પાટણ જિલ્લામાં કુલ 8225 શ્રમિકો ની નોંધણી કરવામાં આવી છે જેમાં વી સી દવરા 5092 સી એસ સી સેન્ટર દવરા 806 સેલ્ફ 2321 અને ઉમંગ એપ માં 6 શ્રમિકોએ નોંધણી કરી છે. પાટણ જિલ્લા 3,75,862 લક્ષાક સામે વીસી દ્વારા 97,456 સી એસ સી દવરા 65,105 સેલ્ફ 28,255 અને ઉમંગ એપ દવરા 24 એમ મળી કુલ 1,90,840 એટલે કે 50.77ટકા ઇશ્રમ કાંડ કાઢવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લા 8,71,608 ના લક્ષાક સામેવીસી દવરા 1,12,004 સી એસ સી દવરા 1,85,244 સેલ્ફ 1,06,912 અને ઉમંગ એપ દવરા 44 મળી કુલ 4,04,204 એટલે કે 46.37ટકા ઇશ્રમ કાંડ કાઢવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લા 5,59,432 લક્ષાક સામે વીસી દ્વારા 1,02,543 સી એસ સી દવરા 91,012 સેલ્ફ 50,081 અને ઉમંગ એપ દવરા 41 મળી કુલ 2,43,677 એટલે કે 43.57 ટકા ઇશ્રમ કાંડ કાઢવામાં આવ્યા છે.
આમ ઉત્તર ગુજરાત માં પાટણ જિલ્લા અત્યાર સુધી માં 50.77ટકા કામગીરી કરવામાં આવી છે.ત્યારે હાલ માં શ્રમવિભાગઅને પાટણનગરપાલિકાઅને સ્વૈચ્છિકસંસ્થાદવરા આ ઇશ્રમકાંડ કાઢવાની કામગીરી ચાલી રહી છે. સરકારે આ બધા અસંગઠિત મજૂરો ની માહિતી એકત્રિત કરવા માટે આ ઈ શ્રમ પોર્ટલ બનાવ્યું છે. જેમાં અસંગઠિત મજૂરો ને ઈશ્રમ કાર્ડ બનવવા માટે તે પોર્ટલ માં ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કરવું પડશે અને જરૂરી દસ્તાવેજો તેમાં અપલોડ કરવા પડશે જેવા કે આધાર કાર્ડ, આવક નો દાખલો, બેંક પાસબુક વગેરે .અને તે બધી વિગતો ભર્યા બાદ ઈ શ્રમ કાર્ડ બનશે.
ઇ શ્રમ કાંડ કાઢવા માટે ડોક્યુમેન્ટ
- આધાર નંબર
- મોબાઈલ નંબર, આધાર લિંક હોય તે
- બેંક એકાઉન્ટ
ઇશ્રમ કાંડ કાઢવા માટેની પ્રોસેસ
- મોબાઇલ પરથી www.eshram.gov.in પર જઇને જાતે નોંધણી કરી શકાય છે.
- નજીકના કોમન સર્વિસ સેન્ટર પર કે ઇ-ગ્રામ સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકાશે.
- વિનામૂલ્યે શ્રમિક કાર્ડ (UAN) મળવાપાત્ર છે.
કઇ રીતે કરવી ઓનલાઇન અરજી?
- સૌપ્રથમ ઓફિશ્યલ પોર્ટલ eshram.gov.in પર જાઓ.
- હોમ પેજ પર રજીસ્ટર ઓન ઇ-શ્રમ ઓપ્શન પર ક્લિક કરો.
- નવું પેજ ઓપન થશે. તેમાં તમામ જાણકારી દાખલ કરો.
- ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે. તે એન્ટર કરો.
- હવે જે રજીસ્ટ્રેશન ફોર્મ આવે તેમાં વિગતો ભરો.
- માંગેલા તમામ દસ્તાવેજો અપલોડ કરો.
- ત્યારબાદ એક વખત તમામ જાણકારી ચેક કરી લો અને તેને સબમિટ કરી દો.
- રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને એક 10 આંકડાનું ઇ-શ્રમ કાર્ડ મળી જશે.