છોટા ઉદેપુર3 કલાક પહેલા
પાવી જેતપુર તાલુકાના ખટાશ ગામના એક ખેતરના કૂવામાં નીલ ગાય પડી ગઈ હતી. જેને વન વિભાગે બે કલાકની જહેમત બાદ નીલ ગાય બહાર કાઢવામાં આવી હતી.

પાવી જેતપુર તાલુકાના ખટાશ ગામના મનજી છગુડાભાઈ રાઠવાના ખેતરના કૂવામાં આજરોજ બપોરના બાર વાગ્યાના અરસામાં નીલ ગાય પડી હતી. નીલ ગાય કૂવામાં પડતાં જ ખેતર માલીક ગ્રામજનોને બોલાવીને કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ નીલ ગાયને બહાર કાઢી ન શકાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કૂવામાં નેટ નાખીને નીલગાયને નેટના માધ્યમથી બહાર કાઢવામાં આવી હતી તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડવામાં આવી હતી.


અન્ય સમાચારો પણ છે…