Friday, March 10, 2023

ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને પ્રાકૃતિક કૃષિ માટે આદર્શ તાલીમ કેન્દ્ર બનાવાશે, રાજ્યપાલે કહ્યું-ખેડૂત પ્રાકૃતિક કૃષિ કરતો થશે તો સમૃદ્ધિ આપોઆપ આવશે | Agricultural Science Centers of Gujarat Vidyapeeth will be made ideal training centers for natural agriculture, Governor said - If the farmer practices natural agriculture, prosperity will come automatically. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Agricultural Science Centers Of Gujarat Vidyapeeth Will Be Made Ideal Training Centers For Natural Agriculture, Governor Said If The Farmer Practices Natural Agriculture, Prosperity Will Come Automatically.

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત વિદ્યાપીઠના ગાંધીનગર (રાંધેજા), ખેડા (દેથલી) અને વલસાડ (આંભેટી)ના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને પ્રાકૃતિક કૃષિ માટે આદર્શ તાલીમ કેન્દ્રો બનાવાશે. ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ગાંધીનગરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના કૃષિ વૈજ્ઞાનિકો, સંશોધકો અને વિષય નિષ્ણાતો સાથે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે વિસ્તૃત વાર્તાલાપ અને વિચાર-વિમર્શ કર્યો હતો.

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પ્રત્યે જાગૃતિ આવે તેવો અનુરોધ
વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ જરૂરી છે એમ કહીને આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, રાજ્ય સરકાર મોટા પાયે તાલીમાર્થીઓ તૈયાર કરી રહી છે, જે ખેડૂતોને ઘર આંગણે જઈને તાલીમ આપશે. ગુજરાતના ગામડે-ગામડે ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પ્રત્યે જાગૃતિ આવે તે માટે કૃષિ વૈજ્ઞાનિકોને આ ઈશ્વરીય કાર્યમાં જોડાવા તેમણે અનુરોધ કર્યો હતો. ગુજરાત વિદ્યાપીઠના ત્રણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સંશોધન, શિક્ષણ અને કૃષિ વિસ્તરણનું કાર્ય કરે છે. ખેડૂતોને તેમના ખેતરોમાં જઈને માર્ગદર્શન આપે છે. આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના મોડેલ તાલીમ કેન્દ્ર બને એ દિશામાં કાર્ય કરાશે.
માણસે પોતાની લાલચની પૂર્તિ માટે પ્રકૃતિનું દોહન અને શોષણ કર્યુંઃ રાજ્યપાલ
કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, ગાંધીબાપુ કહેતા કે, “ભારતનો વિકાસ ગામડાઓના વિકાસથી જ શક્ય છે. જ્યાં સુધી ગામડા સમૃદ્ધ નહીં થાય ત્યાં સુધી ભારત સમૃદ્ધ નહીં થાય.” આપણો ખેડૂત સમૃદ્ધ થશે તો ગામડા સમૃદ્ધ થશે અને ખેડૂત પ્રાકૃતિક કૃષિ કરતો થશે તો સમૃદ્ધિ આપોઆપ આવશે. વિશુદ્ધ ભારતીય સંસ્કૃતિ અને પ્રાકૃતિક પદ્ધતિઓના પ્રણેતા પૂજ્ય બાપુ એમ પણ કહેતા કે, “પ્રકૃતિ માનવની તમામ આવશ્યકતાઓની પરિપૂર્તિ માટે સક્ષમ અને સમર્થ છે, પરંતુ માણસની લાલચની પૂર્તિ કરી શકતી નથી. માણસે પોતાની લાલચની પૂર્તિ માટે પ્રકૃતિનું દોહન અને શોષણ કર્યું છે. પરિણામે આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ.
ખોરાકમાં પણ આપણે ધીમું ઝેર લઈ રહ્યા છીએઃ આચાર્ય દેવવ્રત
ગ્લોબલ વૉર્મિંગ માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ 24% જવાબદાર છે એવું સંશોધકોનું તારણ છે. એમ કહીને આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જીવલેણ રોગોનું પ્રમાણ વધ્યું છે. હવા, પાણી, પર્યાવરણ પ્રદૂષિત થયા છે. ખોરાકમાં પણ આપણે ધીમું ઝેર લઈ રહ્યા છીએ. ત્યાં સુધી કે મા ના દૂધમાં પણ પેસ્ટીસાઈડ્સના અંશો જોવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા સિવાય આપણી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: