સુરતમાં રામનવમી, મહાવીર જયંતીના દિવસે તમામ કતલખાના બંધ રહેશે, આદેશ ભંગ કરનાર સામે થશે કાર્યવાહી | All slaughterhouses will remain closed on Ram Navami, Mahavir Jayanti in Surat, action will be taken against violators | Times Of Ahmedabad

સુરત36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરત કોર્પોરેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar

સુરત કોર્પોરેશનની ફાઈલ તસવીર.

હાલમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી સાથે આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર આવશે. તેની સાથે મહાવીર જયંતિનો તહેવાર પણ આવી રહ્યો છે. આ દિવસે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવામાં આવશે.

30 માર્ચે રામનવમી અને 4 એપ્રિલે મહાવીર જયંતી
આ અંગે સુરત મહાનગરપાલિકાએ એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી અને મહાવીર જયંતીના દિવસે સુરત મહાનગરપાલિકાના તમામ કતલખાના બંધ રહેશે. આગામી તા. 30-3-2023ને ગુરૂવારના રોજ ‘રામનવમી’ અને તા. 4-4-2023ને મંગળવારનાં રોજ ‘ મહાવીર જયંતિ’ છે.

મટન-બીફ વેચનાર તમામ લાયસન્સ હોલ્ડરો માટે આદેશ
આ દિવસે નિમિત્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત સલાબતપુરા અને રાંદેર કતલખાના બંધ રહેશે. જેની મટન-બીફ વેચનાર તમામ લાયસન્સ હોલ્ડરોએ નોંધ લેવી. સુરત મહાનગરપાલિકાની સુચનાનો ભંગ કરવા બદલ જે તે ઈસમો સામે ધી બી.પી.એમ.સી. અને બોમ્બે પોલીસ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم