- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Allegedly That Palanpur Municipality Sold The Tender At A Lower Price Than The Appset Price, The Leader Of The Opposition Warned Of Agitation And Demanded An Investigation.
બનાસકાંઠા (પાલનપુર)25 મિનિટ પહેલા
પાલનપુર નગરપાલિકાએ બહાર પાડેલા ભંગારના ટેન્ડરમાં ગોબાચારી થઈ હોવાનો વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે આક્ષેપ કર્યો છે. અંકિતા ઠાકોરે આ મામલે યોગ્ય તપાસની માગ કરી છે. જો બે દિવસમાં તપાસ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
પાલનપુર નગરપાલિકા દ્વારા ભંગારના વેચાણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. નેતા વિપક્ષનો આક્ષેપ છે કે, પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા બાદ ભંગાર કોને અને કેટલામાં વેચ્યો તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. આ મામલાની યોગ્ય તપાસ કરવામાં આવે. પોલીસને અરજી આપ્યા બાદ પણ તપાસ નથી થઈ રહી. જો બે દિવસમાં આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે…