Friday, March 10, 2023

અંબાજી પ્રસાદના બહાને બીબીસી ડોક્યુમેન્ટ્રીની ચર્ચા કરવાનું કોંગ્રેસ ટાળ્યું? એક પણ સભ્ય ગૃહમાં હાજર નહીં | Congress refrained from discussing the BBC documentary on the pretext of Ambaji Prasad? Not a single member present in the House | Times Of Ahmedabad

6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલે વિધાનસભા ગૃહમાં બિન-સરકારી સંકલ્પ આધારે બીબીસી દ્વારા બનાવવામાં આવેલી ગોધરાકાંડ ડોક્યુમેન્ટ્રીમાં દર્શાવવામાં આવેલા મનઘડંત તારણો સામે ગૃહ દ્વારા કેન્દ્ર સરકારને બીબીસી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. બીબીસીની ડોક્યુમેન્ટરી બાબતે ગૃહમાં ધારાસભ્ય મનીષા વકીલ, અમિત ઠાકર, ધવલસિંહ ઝાલા, હર્ષ સંધવીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. બીજી તરફ અંબાજી મંદિરમાં પ્રસાદ તરીકે મોહનથાળ શરૂ કરવાના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ વોક આઉટ કર્યા બાદ સસ્પેન્ડ થતાં કોંગ્રેસના ધારાસભ્યોની ગૃહમાં ગેરહાજરી વચ્ચે આ સંકલ્પ રજૂ કરવામાં આવ્યો હતો. બિન સરકારી સંકલ્પ વગર વિરોધે હાઉસમાં હાજર તમામ સભ્યોના મતથી પસાર થયો હતો. જેના પર વિધાનસભા અધ્યક્ષે નિવેદન આપ્યું કે,બિન સરકારી સંકલ્પ બગૈર વિરોધ કે પારિત કરના અપને આપ મેં એક બડી બાત હૈ. યહ પારિત હોને સે લગતા હૈ કે જન માનસ મેં બીબીસી ડોક્યુમેન્ટ્રી કે બારે મેં કિતના આક્રોશ હે વો પ્રતિત હોતા હે.

તત્કાલિન રાજ્ય સરકારને દોષીત ઠેરવવાનો દુષ્પ્રયાસ- વિપુલ પટેલ
ધારાસભ્ય વિપુલ પટેલે જણાવ્યુ હતુ કે, તાજેતરમાં બીબીસી દ્વારા બહાર પાડવામાં આવેલા ડોક્યુમેન્ટરીમાં વર્ષ 2002માં સર્જાયેલા ગોધરાકાંડ અને ત્યારબાદ ગુજરાતમાં થયેલા કોમી રમખાણો સદર્ભે તત્કાલિન રાજ્ય સરકારને દોષીત ઠેરવવાનો ફરી એકવાર દુષ્પ્રયાસ કરવામાં આવ્યો છે. વર્ષ 2002ની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓના સંદર્ભમાં ઝીણવટભરી તપાસ કરી એના પ્રતિભાવરૂપે રાજ્ય સરકારે 6 માર્ચ 2002ના જાહેરનામાંથી ન્યાયમૂર્તિ કે.જી શાહ હેઠળ તપાસ પંચની રચના કરી તેમજ 21 મે 2002ની અધિસૂચના નિવૃત જસ્ટીસ જી.ટી નાણાવટીને નાણાવટી-શાહ કમિશનના અધ્યક્ષ તરીકે તેમજ નિવૃત હાઇકોર્ટ જસ્ટીસ કે.જી શાહને સભ્ય તરીકે નીમવામાં આવ્યા હતા. આ તપાસ પંચના કાર્યક્ષેત્રમાં સરકારે 20-7-04 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓની વર્તણૂકને કમિશનના તપાસ દાયરામાં સમાવીને ઇતિહાસ રચ્યો હતો.

ટ્રેનનો ડબ્બો સળગાવવાની ઘટના પૂર્વ આયોજિત કાવતરુ
વધુમાં ધારાસભ્યએે જણાવ્યુ હતુ કે, તપાસ પંચ દ્વારા હાથ ધરાયેલા વિસ્તૃત તપાસના અંતે પંચ એવા તારણ પર આવેલું હતુ કે, ગોધરા રેલ્વે સ્ટેશને 27 ફેબ્રુઆરી 2002ના રોજ ટ્રેનનો ડબ્બો સળગાવવાની ઘટના પૂર્વ આયોજિત કાવતરુ હતુ. 27 ફેબ્રુઆરી 2002 બાદ ગુજરાતમાં ફાટી નિકળેલા કોમી રસખાણો સ્વયંભુ હતા. આ રમખાણોમાં રાજ્ય સરકાર, ધાર્મિક સંગઠણ કે રાજકીય પક્ષે કોઇ ભૂમિકા ભજવી હોવાના કોઇ પૂરાવા મળ્યા ન હોવાનું તપાસ પંચે અહેવાલમાં જણાવ્યુ હતુ. આ બાબતને વિચારણામાં લઇને ઘટના ક્રમની સમીક્ષા કરવી એ આ સભાગૃહ માટે અગત્યનું બની રહે છે. 2002ની ગુજરાતની હિંસામાં વર્તમાન વડાપ્રધાન સ્પષ્ટ રીતે નિર્દોષ હોવા તરફી દોરી જાય છે. ગુજરાતની સરકાર વતી કોઇ સાંઠગાંઠ અને નિષ્કિયતા થઇ હોવા સંબંધમાં નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા દ્રઢતાપૂર્વક ઇન્કાર કરવામાં આવ્યો છે.

બીબીસી નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યુ
ધારાસભ્ય વિપુલ પટેલે જણાવ્યુ હતુ કે, તાજેતરમાં પ્રસિદ્ધ થયેલી બીબીસી ડોક્યુમેન્ટરી દ્વારા ગુજરાતની આ ઘટનાઓના સંદર્ભમાં તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી અને લોકપ્રિયતા ઇરાદાપૂર્વક નુકસાન પહોચાડવાનો હીન પ્રયાસ છે. ઘટનાના વીસ વર્ષ બાદ પર ડોક્યુમેન્ટરી દ્વારા વડાપ્રધાનની આંતરરાષ્ટ્રિય સ્તરે વધતી પ્રતિષ્ઠા તેમનું અડગ નેતૃત્વ અને સામાજિક તથા આર્થિક ક્ષેત્રે ભારતને વિશ્વમાં અગ્રીમ સ્થાન અપાવવના તેમના દ્રઢ ઇરાદાન નિષ્ફળ બનાવવાના એજન્ડા સહિત ઘટનાના વીસ વર્ષ બાદ તેની ડોક્યુમેન્ટરી જોહેર કરીને બીબીસી નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યુ છે. આથી બીબીસીની ડોક્યુમેન્ટરીમાં મનઘડત તારણો સામે કડક પગલાં લેવા આ સભાગૃહ કેન્દ્ર સરકારને અનુરોધ કરે છે.

આ અંગે ધારાસભ્ય મનિષા વકીલે જણાવ્યુ હતુ કે, ભારતની આંતરાષ્ટ્રીય સ્તરે છબી ખરડાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુસાફરી સંધર્ષમય અને ઉદાહરણરૃપ છે. તેઓ સીએમ અને પીએમ તરીકે વૈશ્વિક નેતા બન્યા છે. સાબરમતી ટ્રેનનો કોચ 516 જે અયોધ્યાથી પરત ફરી રહ્યો હતો જેમાં કાર સેવકો હતો તેને સળગાવવામાં આવ્યો જેમાં 56 જેટલા કાર સેવકો જીવતા સળગી ગયા હતા. સરકારે તમામ મૃતદેહને તેમના પરિવારને સોપ્યા હતા. ટ્રેન સળગાવવી પૂર્વ ઓયજિત કાવતરુ હતુ. તે સમયે સરકારે આર્મી બોલાવીને રાજ્યની સ્થિતિ કાબૂમાં મેળવી હતી. કેટલીક એનજીઓને આ ગમ્યુ ન હતુ. સરકારે ગોધરાકાંડ મામલે જી.ટી નાણાવટી પંચને તપાસ સોપી હતી. પોલીસ દ્વારા 4000 ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી હતી. જાકીયા જાફરીએ તત્કાલીન મુખ્યમંત્રી અને અધિકારીઓ સામે કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. સુપ્રિમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી એસઆઇટીએ ક્લીન ચીટ આપતો ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો. બીબીસી ડોક્યુમેન્ટ્રી બાયઝડ અને પ્રપોગેન્ડા છે. 21 વર્ષ જૂના કેસ અંગેની ડોક્યુમેન્ટરી કરોડો લોકોની લાગણી સાથે ચેડા કર્યો છે. આ ડોક્યુમેન્ટરી કોઇ કાળે ચલાવી લેવાય નહી એટલે તેના સામે પગલાં લેવા જોઇએ.

આ અંગે ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યુ હતુ કે, બે દેશ વચ્ચે મધ્યસથી કરવા માટે નરેન્દ્રભાઇની જરૃર ઉભી થાય છે.આ ડોક્યુમેન્ટરી આતરરાષ્ટ્રીય સાજીશ છે. એ દિવસ યાદ કરતાં આજે પણ કાંપી જવાય છે. કાર સેવકો શ્રીરામના નારા લગાવતા હતા એટલે સળગાવી દેવામાં આવ્યા. એ વખતના મુખ્યમંત્રીએ તત્કાલીક સહાય જાહેર કરી. 72 કલાકમાં તોફાનો ડામી દીધા હતા. ણ તેમની પરીક્ષા એ સમયતી શરૃ થઇ. બે મહિનામાં તપાસપંચ નીમ્યુ. 2002 થી 2018 સુધી સતત તેમણે પોતાની જાતને સાબિત કરી. બીબીસીની છબી ખરડાયેલી છે. અગ્રેજોના એજન્ડા આગળ વધારવા બનેલી બીબીસી છે. દેશમાં બી-20 અને જી-20 આમંત્રિતોને આવકારમાં આવતા ત્યારે આ ડોક્યુમેન્ટરી રજૂ કરાઇ જે દર્શાવે છે કે આ આંતરાષ્ટ્રીય ષડયંત્ર છે. હંગેરીમાં જન્મેલા અને ધંધો કરતા જ્યોર્જ સોરસ વિશે કહેવા ઇચ્છીશ કે, 16 સપ્ટેમ્બર 1992માં શોર્ટ સેલિંગ કરી 1.3 બિલિયન ડોલર કમાયા. મારો આશ્રય પેસા કમાવાનો છે એવું કહેનારા લોકો ભારતને તોડી નહિ શકે.

આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ જણાવ્યુ હતુ કે, ગોધરાના સિગ્નલ ફળીયામાં ટ્રેનની ચેન કુલીન કરીને સાબરમતી ટ્રેનના એસ-6 અને એસ-7 ડબ્બામાં આગ લગાવામાં આવી. આ બન્ને ડબ્બામાં આયોધ્યાથી પરત ફકતા કાર સેવકો હતો. ટ્રેનના બીજા કોઇ પણ ડબ્બા નહી પણ માત્ર કાર સેવકો સવાર હતા તેમાં આગ લગાવામાં આવી. આ આતકી હુમલો હતો. જેમાં 59 લોકોના ખુન કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન વિધાનસભા સત્ર ચાલી રહ્યુ હતુ. તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇએ સમગ્ર ઘટના મામલે ગૃહને અવગત કર્યા હતા. નરેન્દ્રભાઇ કોઇ પણ પ્રકારનું રાજકારણ કર્યો વિના પોતાની ટીમને લઇને ગોધરા જવા રવાના થયા હતા.59 મૃતદેહ એવા હતા કે સમાન્ય લોકો તેને જોઇ પણ ન શકે. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં પ્રત્યાધાત પડ્યા અને આખા ગુજરાતમાં તોફાન ફાટી નિકળ્યા હતા. તે સમયના મુખ્યમંત્રી તોફાન કાબુમાં લેવા માટે આર્મીને એરલીફ્ટ કરાવી હતી. વર્ષ 2002ની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓના સંદર્ભમાં ઝીણવટભરી તપાસ કરી એના પ્રતિભાવ રૃપે રાજ્ય સરકારે 6 માર્ચ 2002ના જાહેરનામાંથી ન્યાયમૂર્તિ કે.જી શાહ હેઠળ તપાસ પંચની રચના કરી તેમજ 21 મે 2002ની અધિસૂચના નિવૃત જસ્ટીસ જી.ટી નાણાવટીને નાણાવટી-શાહ કમિશનના અધ્યક્ષ તરીકે તેમજ નિવૃત હાઇકોર્ટ જસ્ટીસ કે.જી શાહને સભ્ય તરીકે નીમવામાં આવ્યા હતા. આ તપાસ પંચના કાર્યક્ષેત્રમાં સરકારે 20-7-04 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓની વર્તણૂકને કમિશનના તપાસ દાયરામાં સમાવીને ઇતિહાસ રચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: