અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને જે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે તે વધુ સરળતાથી ઝડપી બને તેના માટે થઈ અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં જ્યાં પણ એફિડેવીટની જરૂરિયાત હોય ત્યાં હવે સેલ્ફ ડેકલેરેશન (સ્વ ઘોષણા પત્ર) લેવાનું રહેશે. મ્યુનિસિપલ કમિશનરે આ મામલે તમામ ખાતાના અધિકારીઓ અને પરિપત્ર કરી અને જાણ કરી છે સેલ્ફ ડેકલેરેશનમાં જેમાં અરજદાર પોતાનું નામ મોબાઈલ નંબર અને પોતે જે માહિતી આપે છે તે સાચી છે અને જો ખોટી થશે તો તે શિક્ષાને પાત્ર છે તેવું નામ સહી અને ઓળખ પુરાવા નંબર સાથેનું સેલ્ફ ડેક્લેરેશન હવે આપવાનું રહેશે.
એફિડેવીટની જગ્યાએ સેલ્ફ ડેકલેરેશન લેવાનું રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર કરી અને જાણ કરી છે કે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને જે સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમાં ઝડપી કામગીરી થાય આ માટે થઈ અને કામગીરી કરવામાં આવતી હોય છે અને તેને ધ્યાનમાં રાખી હવે વ્યક્તિલક્ષી જે પણ બાબતમાં અરજદારની માહિતીની સત્યતા માટે એફિડેવીટ લેવામાં આવે છે તે રદ કરવામાં આવે છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના વર્ષ 2021ના પરિપત્ર મુજબ હવેથી એફિડેવીટની જગ્યાએ તમામ ખાતાના અધિકારીઓએ જ્યાં પણ એફિડેવીટ લેવાની હોય તેની જગ્યાએ સ્વ ઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડેકલેરેશન લેવાનું રહેશે. જ્યાં પણ એફિડેવીટની જરૂરિયાત હોય ત્યાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લેવાની રહેશે.
AMC દ્વારા બરફની ફેક્ટરીઓમાં ચેકિંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખી અને શહેરમાં આવેલી બરફની ફેક્ટરીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બરફની ફેક્ટરીઓમાં પાણીના સેમ્પલ લઇ અને લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી એસ કમલ નામની બરફની ફેક્ટરીમાંથી લેવાયેલા પાણીના સેમ્પલ ફીલ ગયા હતા. જેથી આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફેક્ટરીને સીલ મારવામાં આવી હતી. મધ્ય ઝોનના હેલ્થ વિભાગ દ્વારા ચાર માર્ચના રોજ પાણીનું સેમ્પલ લઇ અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. જેનું આજે સેમ્પલ ફેલ જતા બરફની ફેક્ટરીને સીલ કરી 20 કિલોગ્રામ જેટલો બરફનો નાશ કરવામાં આવ્યો છે.