Wednesday, March 8, 2023

બનાસકાંઠાના અમીરગઢ-ઈકબાલગઢ પંથકના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત | Change in weather in Banaskantha's Amirgarh-Iqbalgarh parish, unseasonal rains are worrying the earthlings. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. અમીરગઢ-ઈકબાલગઢ સહિતના પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સતત બે દિવસથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે સતત બે દિવસથી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જોકે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અમીરગઢ-ઈકબાલગઢ સહિતના પંથકમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતોનું જીવ તાળવે ચોંટ્યો છે. ઘઉં, રાયડો, બટાકા સહિતના તૈયાર પાકો લેવાના સમયે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે…