Tuesday, March 14, 2023

નરોડા-હંસપુરામાં ઠેર-ઠેર ગંદકી, રખડતા ઢોરની ફરિયાદો જોવા મળતા ચાર અધિકારીઓને કમિશનરની શો-કોઝ નોટિસ | Commissioner issued show-cause notice to four officials after complaints of filth, stray cattle everywhere in Naroda-Hanspura | Times Of Ahmedabad

અમદાવાદ26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા સવારના રાઉન્ડ લઈ અને અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે કે કેમ તે મામલે તપાસ કરવામાં આવતી હોય છે. ત્યારે આજે સવારે કમિશનર દ્વારા શહેરના ઉત્તર ઝોન વિસ્તારમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરના રાઉન્ડ દરમિયાન વિવિધ વિસ્તારોમાં સફાઈ, રખડતા પશુ, નવી બનતી બિલ્ડીંગ સાઈટ ઉપર લીલી ગ્રીન નેટ વગર, કેચપીટ તૂટેલી હોવાની વગેરેની ફરિયાદો જોવા મળી હતી જેને લઇ અને અસરકારક કામગીરી ન જોવા મળતા ચાર અધિકારીઓને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

ઠેર ઠેર સફાઈનો અભાવ જોવા મળ્યો
મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે ઉત્તર ઝોનના હંસપુરા અને નરોડા વિસ્તારમાં વહેલી સવારે રાઉન્ડ લેવામાં આવ્યો હતો. કમિશનરના રાઉન્ડ દરમિયાન ઠેર ઠેર સફાઈનો અભાવ જોવા મળ્યો હતો જેથી તેઓએ આ મામલે સૌથી પહેલા ઉત્તર ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર બિરેન શાહ પર ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ જ્યાં નવો રોડ બન્યો હતો ત્યાં એક કેચપીટ તૂટેલી હાલતમાં હતી જેથી ત્યાંના નાગરિકોને આ મામલે પૂછ્યું હતું જેથી નાગરિકોએ કહ્યું હતું કે છેલ્લા દોઢ મહિનાથી આ કેચપીટ તૂટેલી હોવાની ફરિયાદ અમે કરી છે છતાં પણ કામગીરી થઈ નથી જેથી તેઓએ ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ ઇજનેર જીતેન્દ્ર ધાનાણીને આડે હાથ લીધા હતા.

નવી સાઈટ પર નિયમ મુજબ ગ્રીન નેટ નહોતી
ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર નરોડા અને હંસપુરા વિસ્તારમાં જ્યાં નવા બાંધકામ થતા હતા તે તરફ ગયા ત્યારે ત્યાં કેટલાક વિસ્તારોમાં નવી બનતી સાઈટ પર નિયમ મુજબ ગ્રીન નેટ નહોતી અને ધૂળ ઉડતી જોવા મળી હતી. વિવિધ બાંધકામ સાઇટો પર ગ્રીન નેટ જોવા ન મળતા તેઓએ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચંદનસિંહ બિલવાલને ફોન લગાવ્યો હતો. પરંતુ ડેપ્યુટી એસ્ટેટ અધિકારીએ ફોન ઉપાડ્યો નહોતો. વહેલી સવારે ડેપ્યુટી એસ્ટેટ અધિકારીઓએ પણ હવે બોર્ડમાં રાઉન્ડ લેવાની સુચના અને પરિપત્ર હોવા છતાં પણ તેઓ રાઉન્ડમાં હતા નહીં અને ફોન ન ઉપાડતા કમિશનર ગુસ્સે ભરાયા હતા.

ઉત્તર ઝોનનાં અધિકારીઓને શો-કોઝ નોટિસ ફટકારી
ત્યારબાદ મ્યુનિસિપલ નરોડા હંસપુરા સહિતના જેટલા વિસ્તારોમાં ફર્યા તે તમામ જગ્યાએ ઘાસચારો વેચાતું હોવાનું અને રખડતા પશુઓ રોડ પર જોવા મળ્યા હતા. જેને લઇ અને કમિશનર ધૂંઆપૂંઆ થઈ ગયા હતા. કમિશનરના રાઉન્ડ દરમિયાન જે તે વિભાગના અધિકારીઓની બેદરકારી અને અસરકારક કામગીરી ન દેખાતા કમિશનરે ઉત્તર ઝોનનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર બિરેન શાહ, આસિસ્ટન્ટ ઇજનેર જીતેન્દ્ર ધાનાણી, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચંદનસિંહ બિલવાલ અને સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂતને શો-કોઝ નોટિસ ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: