અંકલેશ્વર20 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં રાજ્ય ધોરીમાર્ગ પર છાસવારે નાનામોટા અકસ્માતો સર્જાય છે. આ ધોરીમાર્ગ પર થતાં અકસ્માતો પૈકી ઘણાં અકસ્માતોમાં માનવ જિંદગીઓનો પણ ભોગ લેવાય છે. આ ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે. રાજપારડી નજીક સારસા તરફ જતા આ માર્ગ પર માધુમતિ નદી પર ચાર માર્ગીય કામગીરી અંતર્ગત બીજો પુલ પણ બની રહ્યો છે.

કન્ટેનર તેના પુલની વિશાલ રેલીંગ તોડી નીચે પડ્યું
આજરોજ બપોરના બે વાગ્યા આસપાસના સમય દરમિયાન ઉમલ્લા તરફથી રાજપારડી તરફ આવી રહેલું એક મોટું કન્ટેનર પુલની રેલિંગ તોડીને ખાડીમાં પડી ગયું હતું. કન્ટેનર ખાડીમાં ખાબકતા નજીકથી પસાર થતી વીજ લાઇનોને પણ નુકશાન થયું હતું. એને લઇને વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે વીજ કર્મીઓ તાત્કાલિક સ્થળ પર આવી ગયા હતા અને પરિસ્થિતિનું અવલોકન કર્યુ હતું. આટલું વિશાળ કન્ટેનર પુલની રેલિંગ તોડીને આખેઆખુ અને બેઠુ જ ખાડીમાં પડી ગયું હતું.

કન્ટેનર ખાડીમાં પડતા કોઈ જાનહની નહિ
અકસ્માતની જાણ થતાં જ રાજપારડી પીએસઆઇ જી.આઇ. રાઠોડે તાત્કાલિક પોલીસ જવાનોને ઘટનાસ્થળે મોકલીને આપી જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. કન્ટેનર ખાડીમાં પડવાની આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. તેમજ ચાલકનો પણ આબાદ બચાવ થયો હતો.
