બનાસકાંઠા (પાલનપુર)18 મિનિટ પહેલા
પાલનપુર પાલિકામાં 19 લાખનો ભંગાર 10 લાખમાં વેચી દેવાનો મામલો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોર અને નગરપાલિકા કોર્પોરેટર સરફરાઝભાઈએ પાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન સામે તપાસની માંગ કરી ભંગાર વેચી દેવા મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથક અને આરસીએમ ગાંધીનગરમાં ફરિયાદ કરી છે. પાલિકાના કોર્પોરેટર સરફરાજનો આક્ષેપ છે કે, આ ભંગારના વેચાણમાં નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર પણ સંડવાયેલા છે. જો ન્યાય નહી મળે તો એસીબીમાં ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ભંગારનું ટેન્ડર આપવામાં આવ્યું તેમાં ભષ્ટાચારની શંકાઃ કોર્પોરેટર
પાલનપુર નગરપાલિકાના કોંગ્રેસ કોર્પોરેટર સરફરાઝે જણાવ્યું હતું કે, નગરપાલિકામાં ઘણાં દિવસથી પાલિકા દ્વારા જે ભંગારનું ટેન્ડર આપવામાં આવ્યું છે એમાં ભ્રષ્ટાચારની શંકા સેવાઈ રહી છે તેની સામે અપસેટ ભંગારની 19 લાખ 50 હજાર હતી. પાલનપુર નગરપાલિકાના સત્તાધીસો કે જે લોકો વહીવટી કરતા છે સંચાલન કરતા છે એમને માત્ર 10 લાખ 5 હજાર 960માં આખેઆખો ભંગાર આપી દીધો છે. ત્યારબાદ એવુ કહેવાયું છે કે, કારોબારી ચેરમેન દ્વારા કોઈ વર્ક ઓડર આપેલ નથી. અમે વિપક્ષને સાથે રાખી આ અંગે તપાસ કરીશું.
પોલીસ દ્વારા હજુ કાર્યવાહી કરવામાં આવી નથી
વધુમાં જણાવ્યું કે, ટેન્ડરિંગના દરેક કાગળો અમે નગરપાલિકા જોડે માંગ્યા છે જે અમને મળ્યા નથી. અમારા વિપક્ષ નેતા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાવી છે. મેં ખુદે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે છતાં પણ પોલીસ દ્વારા હજુ કાર્યવાહી કરવામાં આવી નથી. આમાં નગરપાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર આ ભંગારના વેચાણમાં સડોવાયેલા છે એવી શંકા સેવાઈ રહી છે. જો અમને ન્યાય નહીં મળે તો અમે ACB સુધી આ અંગે ફરિયાદ કરીશું.