Thursday, March 9, 2023

અમદાવાદનાં સ્ટેડિયમમાં મોદીએ જમાવટ બોલાવી, ગરમી ક્યારથી ગાભા કાઢશે? પ્રાંતિજનાં ગામમાં જમીનમાં વિચિત્ર બ્લાસ્ટ થયો | During the national anthem, the PMs of both countries stood with the team; A strange phenomenon of smoke rising from the ground; Lakhs of meters of cloth burnt in Surat | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • During The National Anthem, The PMs Of Both Countries Stood With The Team; A Strange Phenomenon Of Smoke Rising From The Ground; Lakhs Of Meters Of Cloth Burnt In Surat

42 મિનિટ પહેલા

રાષ્ટ્રગીત દરમિયાન મોદી ટીમ ઈન્ડિયા સાથે ઊભેલા જોવા મળ્યા
PM મોદી ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનીઝ સાથે મેદાન પર પહોંચ્યા હતા. જ્યાં બન્ને દેશના PM રાષ્ટ્રગીત સમયે ટીમ સાથે ઊભા રહ્યા હતા. જેમાં સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાના PMના ખભે હાથ રાખીને ઊભો રહ્યો હતો. જ્યારે રોહિત શર્મા અને PM મોદી વચ્ચે થોડું અંતર હતું.જ્યાં બન્ને ટીમ રાષ્ટ્રગીત માટે ઊભી રહી હતી. કેપ્ટન રોહિત શર્માએ તમામ ખેલાડીઓનો પરિચય કરાવ્યો હતો. PMએ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા. આ પછી, રાષ્ટ્રગીતમાં પણ ટીમ સાથે ઊભા રહ્યા હતા. બાદમાં તેઓ PM અલ્બેનીઝ સાથે સ્ટેન્ડ પર પાછા ફર્યા હતા.PM મોદી સવારે 8.30 વાગ્યે સ્ટેડિયમ પહોંચ્યા હતા. પહેલા અડધા કલાક સુધી મેચ જોયા બાદ તેઓ રાજભવન જવા રવાના થયા હતા.

ઓસ્ટ્રલિયાએ કરી મજબૂત શરૂઆત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગનો ફેંસલો કર્યો હતો. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટના નુકસાન પર 255 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા 104 રન અને કેમરૂન ગ્રીન 49 રને રમતમાં હતા. ભારત તરફથી શમીને 2, જાડેજા અને અશ્વિનને 1-1 સફળતા મળી.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. ટ્રેવિડ હેડ (32 રન) અને ઉસ્માન ખ્વાજાએ પ્રથમ વિકેટ માટે 61 રનની પાર્ટનરશિપ કરી હતી. અશ્વિને હેડને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. માર્નસ લાબુશેન 3 રન બનાવી શમીની ઓવરમાં બોલ્ડ થયો હતો. જે બાદ સ્ટીવ સ્મિથ (38 રન) અને ઉસ્માન ખ્વાજાએ ત્રીજી વિકેટ માટે 79 રનની પાર્ટનરશિપ કરી હતી. પિટર હેંડસકોમ્બ 17 રન બનાવી શમીની ઓવરમાં બોલ્ડ થયો હતો.

જમીનમાં થયો બ્લાસ્ટ
સાબરકાંઠાના પ્રાંતિજના નનાનપુર ગામથી એક વિચિત્ર ઘટના સામે આવી , જેને જોવા લોકોના ટોળેટોળે ભેગા થયા.નનાનપુર ગામમાં જમીનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા.. કોઈ એક નહી પણ અલગ અલગ જગ્યાએથી ધુમાડા નીકળતા ફાયર ઓફિસરે જમીનમાં પાણી નાખતા જ જમીનમાં બ્લાસ્ટ થયો અને ફાયર ઓફિસર ઘાયલ થયા.. જમીનની અંદર કેમિકલ ઉતર્યું હોવાના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

મે મહિના સુધી વર્તાશે ગરમી
અમદાવાદ અને ગાંધીનગમાં પણ ગરમીનો પ્રકોપ વધતો જોવા મળી શકે છે. અત્યારે સૌથી વધુ તાપમાન ભુજમાં 37.4 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદમાં પણ ગઈ કાલે ગરમીનો પારો 36 ડિગ્રીને વટાવી ચૂક્યો હતો. આવનારા સમયમાં ગરમી વધે તેવી શક્યતા છે. આ વર્ષે માર્ચથી મે મહિના દરમિયાન અલ-નીનોસાઉધર્નઓસ્કિલશન(ઈએનએસઓ)ની સ્થિતિ સર્જાશે. આ પહેલાં વર્ષ 2016માં અલ-નીનોની સ્થિતિ સર્જાઈ હતી અને 2016નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે, પરંતુ, આ વખતે 2016નો રેકોર્ડ પણ તૂટી જાય તેવી પૂરી સંભાવના છે. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન(WMO)એ ચેતવણી આપી છે કે એક-બે મહિનામાં અલ-નીનો સક્રિય થવાની સાથે જ સમગ્ર દુનિયામાં ગરમીમાં વધારો થશે. ખાસ કરીને ભારત જેવા દેશોમાં ગરમી પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લેશે. WMOના મહાસચિવ પેટેરી તાલસે જણાવ્યું હતું કે, આ વર્ષે જલ્દી જ દુનિયા અલ નીનોની સ્થિતિમાં જવાની છે અને તેના કારણે વૈશ્વિક તાપમાનમાં ભારે વધારો થશે અને આકરી ગરમી પડશે.

લાખો મીટર કાપડ બળીને ખાક
પલસાણાના તાંતિથૈયામાં આવેલી જીઆઈડીસીમાં કદામવાળા ડાઈંગ મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોડી રાતે મિલમાં એકાએક આગ લાગવાનું શરૂ થતા જોતજોતામાં આખે આખી ડાઈંગ મિલ ઝપેટમાં આવી ગઈ હતી. સુરત જિલ્લામાં લાગેલી આગને કારણે તમામ ફાયર સ્ટેશનની ગાડીઓ એલર્ટ થઈ ગઈ હતી. આગ ખૂબ જ ભીષણ હોવાથી વહેલી સવાર સુધી કુલિંગની કામગીરી ચાલુ હતી. આગ જ્યારે લાગી હતી ત્યારે ફેક્ટરી બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

પુલ-નાળાની જાળવણી માટે રાજ્ય સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા
રાજ્યના દરેક પુલ અને નાળાની જાળવણી માટે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમા રાજ્યભરના તમામ પુલ-નાળાનું વર્ષમાં બે વાર ઈન્સપેક્શન કરવામાં આવશે. ચોમાસા પહેલા મે મહિનામાં અને ચોમાસા બાદ ઓક્ટોબર મહિનામાં ઈન્સપેક્શન કરવામાં આવશે. પુલ-નાળાના નિરીક્ષણ અને સમીક્ષા અંદે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. સમયાંતરે અધિકારીઓએ પુલ-નાળાનું ફરજિયાત નિરીક્ષણ કરવુ પડશે. અધિકારીઓ અને સત્તાધિશોએ કામગીરીનો રિપોર્ટ રજિસ્ટર કરવો પડશે.ઉલ્લેખનીય છે કે મોરબી ઝુલતો પૂલ તૂટ્યા બાદ હાઈકોર્ટમાં રાજ્યના બ્રિજોની સ્થિતિને લઈને સુનાવણી ચાલી રહી છે. જેમા હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે રાજ્યમાં જેટલા પણ માઈનોર અને મેજર બ્રિજ આવેલા છે તેની સંપૂર્ણ તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવે. જેમા રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં મહત્વપૂર્ણ ખૂલાસો કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં કુલ 63 બ્રિજ એવા છે જેમને સમારકામ કરવાની જરૂર છે.

નાફેડના અધિકારીઓ જ ના આવતા ખેડૂતો લાલઘુમ
ગોંડલમાં ટેકાના ભાવે ખરીદી તો શરૂ થઈ પરંતુ નાફેડમાં જ સંકલનનો અભાવ હોવાથી અવ્યવસ્થા સર્જાઈ હતી. Nafedની જાહેરાતને પગલે મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી લઈને યાર્ડ પહોંચ્યા હતા પરંતુ નાફેડના અધિકારીઓ જ ન આવતા ખેડૂતો રોષે ભરાયા હતા.રાજ્ય સરકારની જાહેરાત બાદ નાફેડ દ્વારા ટેકાના ભાવે ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેમા પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ સર્જાયો હતો. નાફેડ દ્વારા ટેકાના ભાવે ડુંગળીની ખરીદી તો શરૂ કરવામાં આવી પરંતુ સંકલનના અભાવને કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. નાફેડે ગઈકાલે કરેલી જાહેરાત મુજબ ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર ગોંડલમાં માર્કેટિંગ યાર્ડ હતું. જેના પગલે વહેલી સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં ડુંગળી સાથે ગોંડલ યાર્ડ પહોંચ્યા હતા. પરંતુ માર્કેટિંગ યાર્ડમાં કોઇપણ પ્રકારની વ્યવસ્થા જોવા ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: