અમદાવાદ19 મિનિટ પહેલા
- કૉપી લિંક

અસીમ ઉડાન ટ્રસ્ટ દ્વારા તા.5-3-2023 ના રોજ અમદાવાદના આંબાવાડી ખાતે ડૉ. આંબેડકર કોલોનીના લાયબ્રેરી હોલમાં GPSCનો સેમિનાર યોજાયો હતો. જેમાં લાભ 125થી વધુ યુવક-યુવતીઓ લીધો હતો. સમાજના ઉચ્ચ હોદ્દાઓ ઉપર બિરાજમાન માર્ગદર્શક તજજ્ઞ તરીકે ડેપ્યુટી સેક્શન ઑફિસર હિમાની ધંધુકીયા, ભાવિક મારૂ અને ફેકલ્ટી અનિશ મેમણ ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ વિદ્યાર્થીઓને વિશદ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. અને વિદ્યાર્થીઓના મૂંઝવતા પ્રશ્નોના સરળ ભાષામાં ઉત્તરો આપ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મહેમાનો ના વરદ હસ્તે તથાગત ગૌતમ બુદ્ધ અને ડૉ બાબાસાહેબ આંબેડકર ને પુષ્પમાળા અર્પણ કરી અને મીણબત્તી પ્રાગટ્ય કરી હતી.

અસીમ ઉડાન ટ્રસ્ટના મહામંત્રી બાબુ ડી.ચાવડાએ જણાવ્યું હતું કે આ ફ્રી કોચિંગ ક્લાસીસનો મંગલ પ્રારંભ તા.11-3-2023 શનિવારથી થયો છે. જેનો લાભ સમાજના સ્નાતક યુવક-યુવતીઓ લઇ શકશે.અઠવાડિયામા ત્રણ દિવસ શુક્રવાર, શનિવાર અને રવિવારે 12 થી 6 ચાલશે.સાથે સમયાંતરે મોક ટેસ્ટ પણ લેવામાં આવશે. ટેસ્ટની લાયબ્રેરીમાં 1000 થી વધુ UPSC, GPSC અને વર્ગ 3 ના પુસ્તકો ઉપલબ્ધ છે. જે વિદ્યાર્થીઓને ઘેર વાંચવા આપવામાં આવશે.
અસીમ ઉડાન ટ્રસ્ટ સંચાલિત GPSCના આ ફ્રી કોચિંગ ક્લાસીસનો લાભ કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના વિદ્યાર્થીઓ લઈ શકશે. આનો લાભ લેવા ઈચ્છતા સ્નાતક યુવાનોએ શનિવાર અને રવિવારે 12 થી 6 દરમિયાન લાયબ્રેરી હોલ,ડૉ. આંબેડકર કોલોની, ભુદરપુરા રોડ,આંબાવાડી ખાતે રૂબરૂ મળી શકે છે. વધુ માહિતી માટે સંપર્ક નંબરો પર સંપર્ક કરી શકે છે.

આભારવિધિ ટ્રસ્ટી જસવંત મૈત્રય દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટેસ્ટના મહામંત્રી બાબુ ચાવડાએ કર્યું હતું. અસીમ ઉડાન ટ્રસ્ટના પ્રમુખ ડૉ. નીતિન ગુર્જર દ્વારા શાબ્દિક સ્વાગત અને ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો. ઉપસ્થિત તમામ લોકો માટે આઈસ્ક્રીમની વ્યવસ્થા એર ઇન્ડિયા મુંબઈના નિવૃત્ત મેનેજર આયુ.ગોવિંદભાઇ એમ.પરમાર તરફથી કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ગોવિંદ પરમાર, ગિરધર સોલંકી, જસવંત મૈત્રય,ડૉ. તુલસી સીંગલ,સંજીવ રાઠોડ, જયેશ ચાવડા,રિષી ગાધેર,મુકેશ ચાવડા એ જહેમત ઉઠાવી હતી.