Sunday, March 12, 2023

સુરતમાં H3N2થી મહિલાનું મોત? મરતાં પહેલાં દીકરીએ પપ્પા વિશે શું લખ્યું? ધોરાજીની રોયલ હૉસ્ટેલની ઘટનાએ સૌને હચમચાવ્યા | Vegetable prices increase once again, heartbroken student commits suicide by writing suicide note, Mahindra Thar caught fire in the middle of the road | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vegetable Prices Increase Once Again, Heartbroken Student Commits Suicide By Writing Suicide Note, Mahindra Thar Caught Fire In The Middle Of The Road

એક કલાક પહેલા

શાકભાજીના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને પારવાર નુકશાન પહોંચ્યુ છે, જેના કારણે શાકભાજીના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો નોંધાયો છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. તો આ તરફ હજુ પણ આગામી દિવસોમાં હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે લીલા શાકભાજી સામાન્ય દિવસોમાં 40 થી 60 કિલો મળતા હતા તે હાલમાં 100 થી 160 કિલોના ભાવે મળી રહ્યા છે. જયારે સામાન્ય દિવસોમાં ગલકા, ભુટ્ટા, રવૈયા, ફુલેવર અને રીંગણ રૂપિયા 20 કિલોએ વેચાતા હતા તેના ભાવ વધીને 40 થઈ ગયા છે,જ્યારે કોથમીર રૂપિયા 80 , મરચાં રૂપિયા 70ના કિલો, લીંબુ 150ના કિલો વેચાઈ રહ્યા છે, ત્યારે કમોસમી વરસાદને કારણે વધુ એક વખત મધ્યમ વર્ગીય પરિવારો પર મોંઘવરીનો માર પડ્યો છે.

સુરતમાં મહિલાનું H3N2થી મોત થયાની શંકા

સુરતમાં એક મહિલાનું H3N2ને લઈ મોત થયું હોવાની શંકા ઉપજી રહી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પરિણીતા શરદી, ખાસી-કફથી પીડિત હતી. અને તેની સારવાર ચાલી રહી હતી. જેની સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે મહિલામાં H3N2 મુજબના લક્ષણો જણાઈ આવતા તેની મોત પાછળ શંકા ઉપજી છે. જોકે આ અંગે મહિલાના મોતનું કારણ જાણવા માટે જરૂરી સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મહિલાના રિપોર્ટ આવ્યા બાદ જ કારણ જાણી શકાશે.

હૈયું હચમચાવતી સ્યુસાઈડ નોટ

ધોરાજીની રોયલ સ્કૂલની હોસ્ટેલમાં સ્યુસાઈડ નોટ લખી ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતી દિવ્યા રમેશભાઈ ડોડિયા નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દિવ્યા ડોડીયાએ ગત મોડી રાત્રે હોસ્ટેલના 318 નંબરના રૂમમાં પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. મોડી રાત્રે 12 વાગ્યા પછી આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. પોલીસને દિવ્યાએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે જેમાં જે લખ્યું છે તે વાંચી સૌ કોઈનું હૈયુ હચમચી જાય તેમ છે. દિવ્યાએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘પપ્પા આઈ હેટ યુ, મારા આત્માને શાંતિ નહીં મળે, મારા એક એક આંસુનો બદલો લઈશ’ દિવ્યાનો પરિવાર કુતિયાણાનો વતની છે. દિવ્યા કુતિયાણાથી ધોરાજી રોયલ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આવી હતી. તેમજ દિવ્યા સ્કૂલની હોસ્ટેલમાં જ રહેતી હતી. બનાવના પગલે ધોરાજી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. દિવ્યાના પિતા રમેશભાઈ BSFના જવાન રહી ચૂક્યા છે. તેઓ પણ રાતે જ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. રૂમમાંથી દિવ્યાએ લખેલી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં પિતા ખૂબ ગુસ્સે થતા હોય પિતાએ ક્યારેય પોતાને દીકરી ગણી ન હોય તેવા શબ્દો સુસાઇડ નોટમાં લખ્યા છે. ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે, દિવ્યાએ અંતિમ પગલું ભરતા પહેલા અડધો કલાક ફોન પર પરિવારના સભ્યો સાથે વાત કરી હતી. હાલ ધોરાજી પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

સુરતમાં ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ

સુરત શહેરમાં વર્તમાન સમયમાં મેટ્રોની કામગીરીને ચાલી રહી છે. જેના કારણે અનેક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. રાજમાર્ગ ઉપર ભાગળ, ઝાંપાબજાર ખાતે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ત્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને સુરતના ટ્રાફિક DCP અનિતા વાનાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પેપર આપવા જતી વખતે ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે શહેરમાં ટીઆરબી જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા છે. સાથે જ ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય તે માટે ટ્રાફિકના 18 અધિકારી તૈનાત કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા દરમિયાન ટીઆરબીના 78 જવાનો ખડેપગે ફરજ બજાવશે. આ ઉપરાંત DCP અનિતા વાનાણી દ્વારા ટ્રાફિક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. હેલ્પલાઇન નંબર 7434095555 ઉપર ફોન કરીને વિદ્યાર્થીઓ મદદ માગી શકશે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા જતી વખતે ટ્રાફિકમાં ફસાય છે, તો ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીને ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક પર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે.

રાજકોટમાં દર્દીઓ રામભરોસે

આજે બપોરના સમયે 1 વાગ્યા આસપાસ રેલવે હોસ્પિટલની એક એમ્બ્યુલન્સ બે દર્દીઓને લઈ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે લઈ જઈ રહી હતી. દરમિયાન રેસકોર્સ રિંગ રોડ પર બહુમાળી ભવન ચોક પહોંચતા સમયે અચાનક એમ્બ્યુલન્સમાં ઓક્સિજન બોટલ વાલ્વ લીક થયો હતો. જેના કારણે દર્દીઓ અને તેમના સબંધીઓ સ્તબ્ધ બની ગયા હતા. જોકે, સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી હતી અને સ્થાનિકોએ તાત્કાલિક અન્ય એમ્બ્યુલન્સની રાહ જોવાના બદલે દર્દીને રિક્ષામાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

20 દિવસ પહેલા ખરીદેલી થાર સળગી ઉઠી

રાજકોટમાં શનિવારે મોડી રાત્રે મહિન્દ્રાની SUV વ્હિકલ થાર અચાનક ભડભડ સળગી ઉઠી હતી. શહેરના મવડી વિસ્તારમાં આવેલા શ્યામલ ઉપવમમાં આ SUV વ્હિકલ સળગી ઉઠી હતી. મહિન્દ્રાની થાર મોડલને 20 દિવસ પહેલાં જ ખરીદી હોવાનું સામે આવ્યું છે. જોકે, ક્યાં કારણસર SUV વ્હિકલમાં આગ ભભૂકી ઉઠી તેની કોઈ વિગત સામે આવી નથી.વ્હિકલમાં લાગેલી આગને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ભીષણ આગને પોતાના મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કર્યા હતા. આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ખાલિસ્તાની હુમલાનો મેસેજ કરનાર બે ઝડપાયા

ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ અમદાવાદમાં ચાલી રહી છે ત્યારે મેચ જોવા માટે અમદાવાદ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આ વચ્ચે ખાલિસ્તાની આતંકીઓએ ગુજરાતના લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહોનો પ્રિરેકોર્ડડ મેસેજ કરી ધમકી આપતો મેસેજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેસ કર્યો હતો. મેસેજ વાઈરલ કરનાર સામે જાણવાજોગ નોંધ કરી તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમે મધ્યપ્રદેશથી 2 યુવકની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમના ડીસીપી અજિત રાજીયને જણાવાયું હતું કે મેસેજને ટ્રેસ કરીને અમે મધ્યપ્રદેશના 2 વ્યક્તિ સુધી પહોંચ્યા હતા. જે હકીકતને ખાલિસ્તાન સાથે છે કે, જોડાયેલા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. આરોપીઓ પાસેથી ગેરકાયદેસર એક્સચેન્જ મળી આવ્યું છે. એક્સચેન્જનો ઉપયોગ ગેરકાયદેસર કામ કરવામાં માટે થાય છે. મોટા ભાગવા હવાલા અને સ્મગ્લિંગ જેવા કામમાં કરવામાં આવે છે. આરોપીઓને પ્રલોભન આપીને તેમના પાસે મેસેજ વાઈરલ કરાવવામાં આવ્યો છે. આરોપીઓને જે ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો, તેનાથી તેમને પકડવા મુશ્કેલ હતાં છતાં પોલીસને સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે…